Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Showing posts with label મહાભારત. Show all posts
Showing posts with label મહાભારત. Show all posts

Saturday, 21 September 2024

સતી સાવિત્રી અને સત્યવાન

 સતી સાવિત્રી અને સત્યવાન

રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યુ. પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રુપમાં જન્મ લીધો.

સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંબરે પગ મૂક્યો, ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ધણો મુશ્કિલ હતો. આથી સાવિત્રીને યોગ્ય વરની શોધ કરવા માટે દેશભ્રમણ માટે મોકલી દેવામાં આવી, જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે. સાવિત્રીએ પોતાની માટે સત્યવાનને પસંદ કરી લીધો, નારદજીએ સત્યવાન અને સાવિત્રીના ગ્રહોની ગણના કરીને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા,

પણ સાથે કહ્યું પણ કે

“સત્યવાનનું આયુષ્ય ખૂબ નાનું છે.”

આ સાંભળી રાજા અશ્વપતિને ખૂબ દુ:ખ થયું તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવાનું કહ્યું.

પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી.

તેણે કહ્યું “પિતાજી, હું આર્ય કુમારી છું, આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે.

હું સત્યવાનને મનોમન વરી ચૂકી છું. હવે તે અલ્પાઆયુ હોય કે દીર્ધાયું, એ મારા નસીબની વાત છે. પણ હું કોઈ અન્યને મારા હ્રદયમાં સ્થાન નહી આપું.”

સાવિત્રી અને સત્યવાન ના લગ્ન થઈ ગયા. સાવિત્રી પોતાના સાસુ-સસરા સાથે જંગલમાં રહેવા લાગી. તે સાસુ સસરાની સેવા કરતી આમ, સમય વીતતો ગયો. સત્યવાનનું આયુષ્ય પૂરુ થઈ ગયું.

    

એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાંપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ-સસરાની આજ્ઞા લઈને તેમની સાથે ચાલવા માંડી. સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યાં અને પોતે લાકડી કાંપવા ઝાડ પર ચઢી ગયો. થોડી જ વારમાં તેનુ માથું સખત દુ:ખવાં માંડ્યુ, અને તે નીચે ઉતરી ગયો.

સાવિત્રીએ પાસે આવેલાં એક વડના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધુ. સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે.? એટલા માટે તેનું હૃદય કાંપી રહ્યુ હતું. પણ મનમાં તેણે કશું વિચારી લીધુ હતું આથી એક ગજબની પવિત્ર દૃઢતા તેના ચેહરા પર દેખાતી હતી. તેણે તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહી હતી, અને તે સમય પણ આવી ગયો. બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવાનના પ્રાણ લઈને જવા મંડ્યા. સાવિત્રી પણ તેમની પાછળ જવાં માંડી. યમરાજે સાવિત્રીને પરત ફરવાં કહ્યું.

જવાબમાં તે બોલી – ” મહારાજ, પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે પતિનું પડછાંયાની જેમ અનુસરણ કરે. અને હું પણ એ જ કરી રહી છું.

આ મારી મર્યાદા છે. તમે આના વિરુધ્ધ કશું પણ બોલો એ તમને શોભા નથી આપતું.” યમરાજને લાગ્યું કે સાવિત્રીને કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહી કરે. તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માંગવાનું કહ્યું. સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુ-સસરાના આંખોની રોશની તથા દીર્ધાયું માંગી લીધું. યમરાજ તથાસ્તુ કહીને આગળ વધી ગયા. સાવિત્રીએ ફરી યમરાજની પાછળ ચાલવાં માડી. યમરાજે જોયું તો સાવિત્રી પાછળ આવતી હતી.

તેમણે સાવિત્રીને આગળ આવતા રોકીને વિપરીત દિશામાં જવાનું કહ્યું. ત્યારે સાવિત્રી એ કહ્યું

“ધર્મરાજ, પતિ વગર નારીનું જીવન અધુરું છે.

અમે પતિ-પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ છીએ. મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ.”

સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માંગવાનું કહ્યું.

આ વખતે સાવિત્રીએ સો ભાઈઓની બહેન બનવાનું વરદાન માંગી લીધુ.

યમરાજ ફરી ‘તથાસ્તુ’ કહીને ચાલવાં માંડ્યાં.

સાવિત્રી ફરી તેમની પાછળ ચાલવા માંડી.

યમરાજે ફરી સાવિત્રીને કહ્યું

” ભદ્રે ! હજું પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ, તું જે માંગીશ તે મળશે.”

સાવિત્રી બોલી, “જીવનદાતા ! તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય, અને મને તમારાં દિલથી કાંઈ આપવાં માંગતા હોય તો મને સો પુત્રોની માઁ બનવાનું વરદાન આપો.” યમરાજ ‘તથાસ્તુ’ કહીને આગળ વધ્યા.

? સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો. યમરાજે કહ્યું કે” હવે આગળ ન વધીશ,

મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું, હવે કેમ પીછો કરે છે. ?”

સાવિત્રીએ કહ્યું ” તમે મને સો પુત્રોની માઁ બનવાનું વરદાન તો આપ્યુ, પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકુ છું? મને મારા પતિ મળશે ત્યારે તો હું તમારું વરદાન પૂરુ કરી શકીશ”.

? સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો. આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યાં હતા.

? સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી, તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો. સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ-સસરા પાસે ગઈ. તેમની આંખોની રોશની પાછી આવી ગઈ હતી. તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતાં. અને તેમણે ફરી રાજ સિંહાસન સંભાળ્યું.

? મહારાજ અશ્વપતિ સો પુત્રોના પિતા થયા તથા સાવિત્રી સો ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી સો પુત્રોની માતા બની.

આમ, ચારેબાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનની ગુંજ થવાં માંડી. પત્ની તો દરેકને હોય છે

પણ પતિનો પ્રાણ પાછો લાવીને જંપે અનેએ કુદરત સામે જંગે ચડેએ જ સાચી અને પતિવ્રતા પત્ની ગણાય !!!!


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

શિખંડી ની કથા

*🌸🍂 શિખંડી ની કથા-1*🍂🌸

       પાંચાલ નરેશ દ્રુપદ ને દશ રાણીઓ હતી. પણ બધી સંતાન રહીત હતી.દશમી અણ માનેતી રાણી ને ગર્ભ રહ્યો એ ખબર મળતાં રાજા દ્રુપદ ખુબ ખુશ થયા, અણમાનેતી રાણી નાં માન વધી ગયાં.

નવમે માસે રાણીએ સુંદર કન્યા ને જન્મ આપ્યો પણ રાણીએ પુત્ર જન્મ્યો એવાં ખોટા સમાચાર આપ્યા. પુત્રી ને પુત્ર જાહેર કર્યો એ બેજ વ્યક્તિ જાણે છે એક રાણી અને બીજી સુયાણી જે રાણીને વફાદાર હતી.

આખા પાંચાલ પ્રદેશ માં મંગળ અવસર ઉજવાયો. સુયાણી પુત્ર ને મહારાજ પાસે લઈ આવી પણ જેવો પુત્ર ખોળામાં આપ્યો એવો જ સુયાણી એ ચૂટીયો ખણ્યો એટલે બાળક રડવા માંડ્યું એટલે તરત રાજાએ પુત્ર ને પાછો આપી દીધો જેથી રહસ્ય જળવાઈ રહ્યું.

સમય સરતો ગયો પુત્રી શિખંડીની નું લાલન પાલન પુત્રની જેમ થયું અસ્ત્ર શસ્ત્ર માં નિપુણ કરવામાં આવી એક મહારથી ગણાવા માંડી યુદ્ધ માં ભલભલા મહારથીઓ ને માત એવી શૌર્યવાન હતી શિખંડીની.

                 યુવાન થઈ એટલે લગ્ન લીધાં શિખંડી એ માં ને ખુબ સમજાવી કે એક સ્ત્રી ને બીજી સ્ત્રી સાથે લગ્ન શક્ય નથી પણ માં ડર ના કારણે ન માની ને ધામધૂમથી એક રાજકુમારી સાથે લગ્ન થયા. પેલી રાત્રિ એ જ રાજકુમારી જાણી ગઇ પોતાનો પતિ સ્ત્રી છે. એને પોતાનું જીવન બરબાદ થયું જાણી કોઇને કીધું નઇ અને દશૈયુ નાહી ને પાછી પિયર આવી દીકરીએ માં ને બધી વાત કરી , એટલે માં એ મહારાજ ને કીધું ,

"દ્રુપદે આવડું મોટું કપટ કર્યું" હવે પાંચાલ ઉપર ચડાઈ કરવા નો આદેશ આપ્યો. પણ પ્રધાન બહું બુદ્ધિશાળી હતો. એણે કીધું,

"મહારાજ ઉતાવળ ન કરો આપણે એને પહોંચી શકીએ તેમ નથી પહેલા જમાઇ ને અહીં તેડાવો પછી પરીક્ષા કરો જો વાત સત્ય સાબીત થાય તો યુદ્ધ કરવું તો બીજા રાજ્યો પણ આપણને સહાય કરશે માટે હમણાં જાહેર ન કરો અને જમાઇ ને તડવા નો સંદેશ મોકલો."

મહારાજ ને વાત યોગ્ય લાગી એટલે દ્રુપદ ને સંદેશો મોકલ્યો કે,

"મહારાજ દ્રુપદ અને અમારા જમાઇ સહ પરિવાર તમારી પત્રવધુ ને તેડવા પધારો."

શિખંડી સમજી ગઈ કે આ નિમંત્રણ મારી પરીક્ષા માટે છે, જો હું ત્યાં જઈશ તો બંને વચ્ચે જરૂર યુદ્ધ થવાનું ને યુદ્ધ નું કારણ હું બનીશ. એક મારાં કારણે હજારો માણસો નો વધ થશે, એ પાપ મારાં શિરે હશે. માટે લાવ હું જ મરી જાઉં તો ન રહેવા બાંસ ન બજેગી બાંસુરી. એમ વિચારી શિખંડી કોઈ ને કીધાં વિના ઘોડો લઇ નિકળી ગયો.શિખંડી ઘણે દૂર નીકળી ગ્યો છે.

    ત્યાં જંગલમાં એણે ઍક શિવાલય જોયુ, ને બાજુમાં એક કૂવો જોયો, સુનસાન જંગલમાં કોઈ નહોતું એટલે શિખંડી ને થયું આં કૂવામાં પડી હું પ્રાણ ત્યાગી દઉં, એમ વિચારી એ કૂવામાં પગ લટકાવી કાંઠા ઉપર બેઠો. એને એમ હતું કે અહીં કોઈ જોતું નથી પણ શિવાલય ની બાજુમાં એક ગુફામાં જયમંગળ નામનો શિવનો ગણ રહેતો હતો. એ ગણ શિખંડી ને જોતો હતો ગણે વિચાર્યું કે આ કોઈ દુઃખિયારું છે જે આપઘાત કરવાં માટે આ કૂવામાં પડશે તો કૂવો ગોઝારો થશે.

અને નજર સામે કોઈને મરવા કેમ દેવાય. ગણ કૂવા પાસે આવ્યો,

"એ ભાઇ શું ઈરાદો છે ? મરવું હોય તો ક્યાંક બીજે મરજે આ કૂવાનું પાણી ગોઝારું કરીશ માં અને મરે છે શુ કામ." ગણે પુછ્યું.

"મરવું તો છે અહીં નઈ તો બીજે મર્યા વિના છૂટકો જ નથી." શિખંડીની બોલી

"કેમ ભાઇ એવાં કયાં મોટા દુખનાં ડુંગર માથે પડ્યાં કે આત્મ હત્યા જેવું પાપ કરે છે." ગણ બોલ્યો.

"મારું દુઃખ કોઈ ભાંગી શકે તેમ નથી પછી કઈને શો ફાયદો.?" શિખંડીની બોલી.

"અરે તું કેતો ખરો કંઇક ઉપાય હશે તો કરશું." ગણે કીધું. ગણે ભાર દઈને કીધું. એટલે શિખંડી એ પોતાની પુરી કથા કીધી. "હવે સાસરે જાઉં તો ખબર પડી જાય કે હું પુરૂષ નથી સ્ત્રી છું તો યુદ્ધ ફાટી નીકળે એટલે મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી."

શિવ ગણ ને દયા આવી એણે ખુબ વિચારી ને કીધું,

"એક ઉપાય છે જે કરવાથી તારું દુઃખ ટળે." ગણ ,બોલ્યો..



"જો હું ભગવાન શિવજી નો ગણ છું તારી કરૂણ કથની સાંભળી મને દયા આવી છે તારૂં દુઃખ મટાડવા હું તને મારૂં પુરુષત્વ ઉછીનું આપું, પણ એક શરતે?" ગણે કીધું.

"અરે ભગવાન હું આપ કહો તે શરત માનવા તૈયાર છું." હરખમાં આવી જઇ શિખંડી એ કીધું.

"જો હું મારૂં પુરુષત્વ છ મહિના માટે તને આપું અને તારું સ્ત્રેણત્વ હું લઇ લઉં પણ છ મહિને તારે મારૂ પુરુષત્વ મને પાછું આપવું પડશે એ મહાદેવ ના સૌગંધ ખાઇને કહેવુ પડશે." ગણે ઉપાય બતાવ્યો...

"હું મહાદેવ ના સૌગંધ ખાઇને કહું છું કે જો તમે મને તમારૂં પુરુષત્વ આપશો તો હું છ મહિને મારુ સ્ત્રેણત્ત્વ પાછું લઈ ને આપનું પુરુષત્વ પાછું આપીશ." શિખંડી એ સૌગંધ ખાઇને કીધું.

અને મહાદેવ નાં મંદિરમાં બેય આવ્યા. અને ગણે ભગવાન શિવની આરાધના કરી હાથમાં ગંગાજળ લઈ કીધુ,

"હે મહાદેવ! મારા એક હજાર વર્ષનું તપ આ શિખંડી ને આપું છું તેને મારૂં પુરુષત્વ આપો એનું

સ્ત્રેણત્વ મને આપો."  બોલી ગણે ગંગાજળ શિખંડી ઉપર છાંટ્યું ને ચમત્કાર થયો શિખંડી સ્ત્રી માંથી પુરૂષ થઇ ગયો ને ગણ સ્ત્રી બની ગયો.

ગણ નો આભાર માની ને મર્દ શિખંડી પાછો રાજ્યમાં આવ્યો એનું નવું રૂપ જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા.

 હાથી,ઘોડા, ઊંટ,સિગરામ,રથ,ગાડા,ને પગપાળા આખો રસાલો શિખંડી ના સાસરે આવ્યો બહાર ડેરા તંબુ તાણ્યા છે. એક પછી એક લોકો મળવા આવે છે

મહારાજ, મહારાણી અને રાજકુમારી ત્રણેય મહારાજ દ્રુપદ ને મળવા આવ્યા છે અને

શિખંડી ને રાજમહેલમાં આવવા નું નિમંત્રણ આપ્યું છે અને શિખંડી તૈયાર થઈ મહેલે આવ્યો છે. એનું શરીર સૌષ્ઠવ જોઇ રાજકુમારી આભી બની ગઇ.

ચાર દાસીઓ કુમાર શિખંડી નેં સ્નાન ઘરમાં લઈ આવે ગુલાબ જળ ની કુંડીઓ માં સ્નાન કરાવે છે ખુદ રાજકુમારી અંદર આવેછે અને શિખંડી નેં પુર્ણ પુરૂષ જોઇ અચંભો પામે છે.

રાજમહેલમાં સૌ ને ખબર પડી જાય છે કે જમાઇ પુર્ણ પુરૂષ છે

પંદર દિવસ રોકાઇને રસાલો પાછો ફરે છે. કૌપીલ્ય નગરમાં આવેછે 

શિખંડી ના મહેલમાં શિખંડી ની રાણી શિખંડીની રાહ જુએ છે.

પુર્ણ પુરૂષ ની જેમ શિખંડી આવ્યો રાણી સાથે રંગરાગ ખેલ્યાં. છેવટે રાણીએ પૂછ્યું,

" સ્વામી આ પરિવર્તન કંઈ રીતે શક્ય બન્યું માત્ર હું જ જાણતી હતી કે તમે સ્ત્રી છો તો આ પુરુષત્વ ક્યાંથી આવ્યું?" રાણીએ માફી માંગી ને પુછ્યું.

"ભગવાન શિવ નાં ગણે આપ્યું વધું કહેવાની મનાઈ છે હવે આગળ નો પૂછતાં" શિખંડી એ કીધું.

રાણી મૌન બની ગઇ ઇશ્વર નાં ખેલ કંઈ અનેરા જ હોય છે. હવે પેલાં ગણ નું શું થયું હશે એ જોઈએ.

જય મંગળ ગણ જે ગુફામાં રહેતો હતો ત્યાં થી એક ત્રણ ચાર શિવ ગણો નીકળ્યા, એમાં એક શિવ ગણ બોલ્યો,

"અરે અહીં તો નજીકની ગુફામાં આપણે જય મંગળ રહે છે ઘણા સમયથી મળ્યા નથી હાલો આજે તો એનાં મહેમાન બનીએ."

"અરે હા ચાલો આટલે આવ્યા છીએ તો મળતાં જઈએ." બીજો ગણ બોલ્યો.

અને બધાં જય મંગળ ને મળવા ગુફા પાસે આવ્યા ગુફા બહાર એક સેવક ઉભો હતો એણે બધાને અંદર જતાં રોક્યા.

ક્રમશઃ

ગોપાલ બારોટ લોકસાહિત્યકાર


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

ભક્ત બાણાસુરનું રક્ષણ કરવા ભગવાન શિવે ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરેલું અનોખું યુદ્વ

 ભક્ત બાણાસુરનું રક્ષણ કરવા

 ભગવાન શિવે ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરેલું અનોખું યુદ્વ

ભક્ત પ્રહ્લાદના પૌત્ર બલિરાજાને દાનેશ્વરી કહેવામાં આવે છે. બલિરાજાના સો પુત્રોમાંનો સૌથી મોટો પુત્ર બાણાસુર પણ પરાક્રમી, પ્રતિજ્ઞાાપાલક અને ભગવાન શિવજીનો પરમ ભક્ત હતો. અસુરરાજ બાણાસુરે હિમાલયમાં આવેલા કેદારનાથની પાસે રહેલા શોણિતપુરને પોતાની રાજધાની બનાવી હતી. બાણાસુર સહસ્ત્રબાહુ હતો. તેણે અગણિત વર્ષો સુધી શિવજીની ઉગ્ર આરાધના કરી હતી. તે એક રસલિંગમ્ની પૂજા કરતો હતો જે તેને ભગવાન વિષ્ણુના કહેવાથી વિશ્વકર્માએ આપ્યું હતું. શિવજી જ્યારે લયબદ્ધ તાંડવ નૃત્ય કરતા ત્યારે  બાણાસુર તેના હજારો હાથોથી વિવિધ વાદ્યો અને મૃદંગ વગાડી એમના નૃત્યમાં સંગત કરતો. તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ તેને વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે માંગ્યું હતું - જેમ મારા પિતા બલિરાજાને ત્યાં ભગવાન વિષ્ણુ 'ઉપેન્દ્ર' રૂપે એમના મહેલ અને નગરની રક્ષા કરતા હતા તેમ તમે મારી રાજધાનીમાં સદા નિવાસ કરી મારી બધી રીતે રક્ષા કરતા રહેજો. ભગવાને તથાસ્તુ કહી તેને તે વરદાન આપી દીધું હતું.

              

શાસ્ત્રોમાં કહેવાયું છે - અપાર બળ, ઉચ્ચ વિદ્યા, પ્રચુર ધન-સંપત્તિ અને અમર્યાદિત સત્તા પ્રાપ્ત થાય એટલે અભિમાન આવ્યા વિના ના રહે. બાણાસુરને પણ તેના હજાર હાથ અને અપાર બળનું અભિમાન આવી ગયું. એક દિવસ અભિમાનના નશામાં ચકચૂર બની ભગવાન શિવજી પાસે આવીને તે કહેવા લાગ્યો - હે પ્રભુ, મારા હજાર હાથ મને ભારરૂપ લાગે છે. એમને કોઈ લડનારો જ મળતો નથી. એવું કરો કે જેથી તેમનો લડવા માટે ઉપયોગ થાય. શિવજી સમજી ગયા કે આને અભિમાનનો નશો ચડયો છે જે ઉતારવો જોઈએ. તેમણે બાણાસુરને એક ધ્વજા આપી અને કહ્યું - જે દિવસે આ ધ્વજા આપમેળે જમીન પર પડી જાય ત્યારે સમજજે કે તારાથી વધારે બળવાન યોદ્ધા તારી સામે લડવા આવશે અને તારા હાથનો ભાર દૂર કરશે. બાણાસુર એ ધ્વજા લઈને ત્યાંથી નીકળી ગયો.

એક દિવસ બાણાસુરની ૧૬ વર્ષની પુત્રી ઉષા (ઓખા)એ એના સ્વપ્નમાં એક સુંદર યુવાન જોયો. તેને તે ગમી ગયો અને સ્વપ્નમાં તેને પ્રેમ કરવા લાગી. ઉષાની સહેલી અને પ્રતિભાવંત ચિત્રકાર ચિત્રલેખા (ચિત્રરેખા)એ તત્કાલીન સુંદર રાજકુમારોના ચિત્રો દોરી તેને બતાવવા માંડયા. ચિત્રલેખાએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ત્યારે ઉષાએ શરમાઈને ખુશીથી કહ્યું - 'આ જ એ સુંદર યુવક છે જે મને સ્વપ્નમાં દેખાયો હતો અને હું જેના પ્રેમમાં પડી ગઈ છું.' ચિત્રલેખા તેના યોગબળથી રાત્રે પલંગમાં સૂતેલા અનિરુદ્ધને લઈ આવી અને ઉષાના મહેલમાં મૂકી દીધો. ઘણા દિવસો સુધી આ રીતે તે ઉષાના અંત:પુરમાં રહ્યો અને તેના સંવનન તથા પ્રેમને પ્રાપ્ત કરતો રહ્યો. બાણાસુરને આ વાતની ખબર પડી એટલે તેણે ત્યાં આવી અનિરુદ્ધને પકડી લીધો અને તેને બાંધીને કેદમાં પૂરી દીધો.

સતત, સર્વત્ર પરિભ્રમણ કરનારા નારદજીએ આ સમાચાર યાદવોને અને ભગવાન શ્રી કૃષ્ણને આપ્યા. આ સાંભળીને શ્રી કૃષ્ણે મોટી સેના લઈને શોણિતપુર પર ચઢાઈ કરી. બાણાસુરે આવીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માંડયું. તે વખતે ભગવાન શિવે બાણાસુરને આપેલી પેલી ધ્વજા જમીન પર પડી ગઈ. બાણાસુરને લાગ્યું કે તેના માટે શ્રી કૃષ્ણનો સામનો કરવો શક્ય નથી એટલે તેણે તેના આરાધ્ય અને રક્ષક ભગવાન શિવનું સ્મરણ કરવા માંડયું. શિવજીએ પ્રગટ થઈ તેને પૂછયું - 'તું શું ઈચ્છે છે ?' તેણે કહ્યું - 'તમે મારા વતી યુદ્ધ કરો. ભક્તેચ્છાપૂરક ભગવાન શિવ ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. બન્ને આદિદેવો વચ્ચેનું યુદ્ધ 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવું અકલ્પ્ય અને ભીષણ હતું. ભગવાન શ્રી કૃષ્ણે ભગવાન શિવના પાશુપતાસ્ત્ર વિરૂદ્ધ નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો, વાયવાસ્ત્ર વિરૂદ્ધ પર્વતાસ્ત્રનો, આગ્નેયાસ્ત્ર વિરૂદ્ધ પર્જન્યાસ્ત્રનો અને બ્રહ્માસ્ત્ર વિરૂદ્ધ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બલરામે બાણાસુરના સેનાપતિ વિરૂદ્ધ હુમલો કર્યો. સાંબે બાણાસુરના પુત્ર સાથે યુદ્ધ કર્યું. પ્રદ્યુમ્ને કાર્તિકેય સામે યુદ્ધ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે જમ્ભાકાસ્ત્રનો પ્રયોગ કર્યો એટલે શિવજી થોડી પળો માટે નિદ્રિત જેવા થઈ ગયા. તે વખતે ભગવાન શ્રીકૃષ્ણે એમના સુદર્શન ચક્રથી બાણાસુરની ભુજાઓ કાપવા માંડી. ભગવાન શિવે ભગવાન શ્રીકૃષ્ણને બાણાસુરને મારી ન નાંખવા અનુરોધ કર્યો. ભગવાને શ્રી કૃષ્ણે કહ્યું - 'તમે એને નિર્ભયતા પ્રદાન કરી છે, એના રક્ષક બન્યા છો અને તે ભક્ત પ્રહલાદનો પ્રપૌત્ર છે એટલે તેનો વધ તો કરવાના જ નહોતા. તમારી ઈચ્છા પ્રમાણે, તેનું અભિમાન દૂર કરવા માટે તે તેની હજાર બાહુઓથી કોઈની સાથે લડવા માંગતો હતો એટલે તેની વધારાની ભારરૂપ બાહુઓને જ દૂર કરી રહ્યો છું. ભગવાને તેની માત્ર ચાર જ ભુજાઓ રહેવા દીધી.

ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો આ અદ્ભુત સંગ્રામ  એ રીતે પૂર્ણ થયો. શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે. હરિને હર પ્રિય છે અને હર (શિવ)ને હરિ પ્રિય છે એટલે એમની વચ્ચે કદી યુદ્ધ થવું સંભવ નથી પણ ભક્તને ખાતર શિવજીને શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવું પડયું. તે પછી ભગવાન શ્રી કૃષ્ણે વરદાન આપતા કહ્યું - 'આ બાણાસુર આજથી ભગવાન શિવનો મુખ્ય પાર્ષદ બનશે. તે હંમેશા અજર અને અમર રહેશે.' ત્યારથી બલિરાજા સાત ચિરંજીવીમાંના એક એવા અમરબની ગયા.

વિચાર-વીથિકા-દેવેશ મહેતા

Tags :

Dharmlok


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Friday, 20 September 2024

રાજા પરીક્ષિત અને કલયુગ કથા

 રાજા પરીક્ષિત અને કલયુગ કથા


 પરીક્ષિતજી મહારાજ અર્જુનના પૌત્ર અને પરાક્રમી અભિમન્યુના પુત્ર છે.  પાંડવો સ્વર્ગમાં ગયા પછી, રાજા પરીક્ષિતે ઋષિમુનિઓની આજ્ઞા અનુસાર ધાર્મિક રીતે શાસન કરવાનું શરૂ કર્યું.

  તેમના જન્મ સમયે, જ્યોતિષીઓ દ્વારા વર્ણવેલ તમામ ગુણો તેમનામાં હાજર હતા.  તેના લગ્ન રાજા ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે થયા હતા.  તેમનાથી તેમને ચાર પુત્રો જન્મેજય વગેરે થયા.  આ રીતે તે તમામ ઐશ્વર્યનો આનંદ માણી રહ્યો હતો.

 આચાર્ય કૃપાને પોતાના ગુરુ બનાવીને તેમણે જાહ્નવીના કિનારે ત્રણ અશ્વમેધ યજ્ઞો કર્યા.  તે યજ્ઞોમાં બ્રાહ્મણોને અપાર સંપત્તિ દાનમાં આપી દિગ્વિજય માટે રવાના થયા.  પરીક્ષિત દિગ્વિજય કરતા કરતા સરસ્વતી નદીના કિનારે પહોંચ્યા.  ત્યાં રાજાએ એક બળદ અને ગાયને પુરુષ ભાષામાં વાત કરતા સાંભળ્યા.  બળદ માત્ર એક પગ પર ઉભો હતો જ્યારે ગાયની હાલત નાજુક હતી અને તેની આંખોમાં આંસુ હતા.  આ બળદ સાચો ધર્મ છે અને ગાય પૃથ્વી માતા છે.  બળદ માત્ર એક પગ પર ઊભો છે.  જે સાચું છે.  બળદના ત્રણ પગ દયા, સંયમ અને પવિત્રતા છે.  બળદ ફક્ત એક પગ પર ઉભો છે, કળિયુગમાં કોઈ દયા નહીં, કોઈ તપસ્યા નહીં, શુદ્ધતા નહીં, ફક્ત સત્યનો જ વિજય થશે.

 બળદ ગાયને પૂછે છે - “હે પૃથ્વી દેવી!  તારો ચહેરો કેમ ગંદો થઈ રહ્યો છે?  તમને શું ચિંતા છે?  શું તમે મારી ચિંતા નથી કરતા કે હવે મારો એક જ પગ બચ્યો છે કે હવે શુદ્રો તમારા પર રાજ કરશે તેની તમને ચિંતા છે?

 પૃથ્વીએ કહ્યું- “હે ધર્મ!  બધું જાણીને પણ તમે મને મારા દુ:ખનું કારણ પૂછો છો!  સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, સંતોષ, ત્યાગ, શરમ, શક્તિ, મક્કમતા, સાદગી, ક્ષમતા, શાસ્ત્રવિચાર, પ્રામાણિકતા, તિતિક્ષા, જ્ઞાન, શાંતિ, બહાદુરી, તેજ, ભવ્યતા, શક્તિ, યાદશક્તિ, તેજસ્વીતા, સ્વતંત્રતા, મૃદુતા, ધૈર્ય, હિંમત, નમ્રતા, નમ્રતા, સૌભાગ્ય, ઉત્સાહ, ગંભીરતા, કીર્તિ, આસ્તિકતા, સ્થિરતા, અભિમાન, અહંકાર વગેરે ગુણો સાથે ભગવાન શ્રીકૃષ્ણ ગંભીર કળિયુગને કારણે પોતાના ધામમાં ગયા છે.

 મને તમારા માટે તેમજ તમામ દેવતાઓ, પૂર્વજો, ઋષિઓ, સાધુઓ, સંન્યાસીઓ વગેરે માટે ખૂબ જ દુઃખ છે.  ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં કમળ, વજ્ર, અંકુશ, ધ્વજા વગેરે ચિહ્નો બિરાજમાન છે, જેની સેવા લક્ષ્મીજી કરે છે અને તે ચરણ મારા પર પડતા હતા, જેના કારણે હું ભાગ્યશાળી હતો.  હવે મારું નસીબ ખતમ થઈ ગયું છે."

 જ્યારે ધર્મ અને પૃથ્વી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે એક કાળી આંખોવાળો વ્યક્તિ આવ્યો અને ગાયને લાત મારી અને બળદને લાકડી વડે માર્યો.

 મહારાજ પરીક્ષિતે ધનુષ્ય ઊંચુ કર્યું અને વાદળની જેમ મોટા અવાજે પોકાર કર્યો – “હે દુષ્ટ !  પાપી!  નરાધમ!  તમે કોણ છો?  તે આ નિર્દોષ ગાયો અને બળદોને કેમ સતાવે છે?  તમે એક મહાન ગુનેગાર છો.  તમારું મૃત્યુ એ તમારા ઉલ્લંઘનની યોગ્ય સજા છે."  હું તને જીવતો નહિ છોડું.  એમ કહીને રાજા પરીક્ષિતે પાપીને મારવા માટે પોતાની ધારદાર તલવાર કાઢી.

 તે વ્યક્તિ ડરી ગયો અને પરીક્ષિતજી મહારાજના પગે પડ્યો અને ક્ષમા માંગવા લાગ્યો.

 તેણે કહ્યું કે હું કલિયુગ છું.  શ્રી કૃષ્ણના ગયા પછી હવે દ્વાપર યુગનો અંત આવ્યો છે અને કલિયુગનું આગમન થયું છે.  હવે મારું રાજ્ય જશે.

 રાજા પરીક્ષિતે કહ્યું કે અધર્મ, પાપ, અસત્ય, ચોરી, કપટ, ગરીબી વગેરે જેવા અનેક ઉપદ્રવનું મૂળ માત્ર તમે જ છો.  તેથી મારું રાજ્ય તરત જ છોડી દો અને ફરી ક્યારેય પાછા આવશો નહિ.”

 આના પર કલયુગ બોલ્યો હું ક્યાં જાઉં?  જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રના પ્રકાશનો સંબંધ છે, શું તમે મને ધનુષ્ય અને તીરથી જુઓ છો?  હવે મારા પર દયા કરો અને મારા માટે કોઈ જગ્યા જણાવો ને?

 પરીક્ષિતે કહ્યું કે તમારામાં માત્ર અને માત્ર ખામી છે, જો તમારામાં એક પણ ગુણ હોય તો મને કહો?  હું ચોક્કસપણે તમને ફરીથી કોઈ સ્થાન આપીશ.

 આના પર કળિયુગ થોડા ખુશ થઈ ગયા અને બોલ્યા, હે મહાપુરુષ!  તમે ખુબ દયાળુ છો.  માનો કે મારામાં એક માત્ર ખામી છે, પણ એક સૌથી મોટી ગુણવત્તા છે.  કળિયુગમાં ભગવાનના નામ, હરિના નામથી જ મોક્ષ શક્ય છે.  ભગવાનની પ્રાપ્તિ માટે, કોઈ લાંબા અને વિસ્તૃત યજ્ઞ, હવન, પૂજા અને અનુષ્ઠાનની જરૂર રહેશે નહીં.

 જાણે રામચરિતમાનસની આ ચોકડી અહીં સાર્થક થઈ રહી છે - કળિયુગ માત્ર નામ અધાર, સુમિર સુમિર નર ઉત્તરહિ પરા

 કળિયુગમાં આ વાત કહીને રાજા પરીક્ષિત વિચારમાં પડી ગયા.  ફરી વિચાર કરીને તેણે કહ્યું - “હે કળિયુગ !  દ્યુત (જુગાર), મદ્યપાન (દારૂ), વ્યભિચાર (વેશ્યાલય) અને હિંસા (કતલખાના) એ ચાર સ્થાનો છે જ્યાં અસત્ય, વસ્તુ, કામ અને ક્રોધ રહે છે.  હું તમને આ ચાર સ્થળોએ રહેવાની સ્વતંત્રતા આપું છું."

 જો કોઈ વ્યક્તિ પોતાનું ભલું ઈચ્છે છે તો આ ચારથી દૂર રહેવું જોઈએ.

 કળિયુગે રાજાનો ખૂબ આભાર માન્યો અને કહ્યું- હે રાજા, તમે તમારી મરજીથી ચારેય સ્થાનો આપ્યા છે, હું તમારી પાસે એક જગ્યાએ માંગું છું, કૃપા કરીને મને આપો.  કૃપા કરીને મને સોનામાં પણ સ્થાન આપો.

 પછી પરીક્ષિતજી મહારાજે તેમને સુવર્ણમાં પણ સ્થાન આપ્યું.

 ગુરુદેવ કહે છે કે સોનાનો અર્થ એ નથી કે તમે જે સોનું પહેરો છો તેમાં કળિયુગ છે.  કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે કહ્યું છે કે ધાતુઓમાં સોનું મારું સ્વરૂપ છે.  કહેવાનું તાત્પર્ય એ છે કે અનૈતિક, ખોટા માર્ગ, હિંસા અને સોનું જે પણ પૈસામાંથી આવે છે, તેમાં કળિયુગનો વાસ છે.

 જ્યારે રાજા પરીક્ષિત કળિયુગમાં વચન આપીને પોતાના મહેલમાં પાછા ફર્યા ત્યારે તે અચાનક તેના તિજોરીમાં ગયા.  જ્યાં તે એક બોક્સ જોઈ ચોંકી ગયો હતો.  જ્યારે તેણે બોક્સ ખોલ્યું, ત્યારે તેણે તેમાં એક ચમકતો સોનાનો મુગટ જોયો.

  આવો સુંદર મુગટ જોઈને રાજાની આંખો અંધ થઈ ગઈ અને તે મુગટ પોતાના માથા પર મુક્યો, રાજા પરીક્ષિતે તે મુગટ પોતાના માથા પર મુક્યો, તે મુગટ પાંડવો જરાસંઘને મારીને લાવીને તિજોરીમાં જમા કરાવ્યો.  પાંડવોમાંથી કોઈએ તે પહેર્યું ન હતું.  કળિયુગના પ્રભાવથી રાજા પરીક્ષિતે પોતાના માથા પર મુગટ પહેરાવ્યો હતો.

  કારણ કે કળિયુગને સોનામાં સ્થાન આપવામાં આવ્યું છે.  આ કારણે રાજા પરીક્ષિતની બુદ્ધિ ફરી વળી અને આજે જ્યારે તે 45 વર્ષનો થયો ત્યારે તેનું મન તેને શિકાર કરવાનું કહે છે.  પરીક્ષિતજી મહારાજે ધનુષ્ય અને બાણ ઉભા કર્યા અને જંગલમાં શિકાર કરવા ગયા.  આજ સુધી તેઓએ ક્યારેય શિકાર વિશે વિચાર્યું નથી, પરંતુ આજે તેઓએ વિચાર્યું છે.

 જંગલમાં શિકાર કરતા તેઓ ઘણા આગળ નીકળી ગયા.  તેમનો લશ્કરી સમુદાય ઘણો પાછળ રહ્યો.  લાંબું ચાલ્યા પછી તેઓ તરસ્યા.  દૂર તેઓએ એક ઝૂંપડું જોયું.

  જેમાં એક સંત શમિક ઋષિજી આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા.  તેને લાગ્યું કે આ સંત ડોળ કરી રહ્યા છે.  રમી રહ્યું છે.  તેણે સંત પાસે પાણી માંગ્યું.  પરંતુ સંતની સમાધિ વાસ્તવિક હતી.  જ્યારે સંતે તેને પાણી ન આપ્યું, ત્યારે તે ગુસ્સે થયો, ત્યાં એક મૃત સાપ પડ્યો હતો.  તેણે સાપને ઉપાડ્યો અને સંતના ગળામાં મૂક્યો.  આ રીતે તે સંતનું અપમાન કરીને તેના મહેલમાં ગયો.

 શમિક ઋષિ ધ્યાન માં લીન હતા.  રાજાએ તેની સાથે શું કર્યું તે તો તે જાણી શકતો ન હતો, પરંતુ જ્યારે તેના પુત્ર રિંગી ઋષિને આ વાતની જાણ થઈ તો તે રાજા પરીક્ષિત પર ખૂબ ગુસ્સે થયો.

 ઋષિ રિંગીએ વિચાર્યું કે જો આ રાજા જીવતો રહેશે તો તે બ્રાહ્મણોનું આ જ રીતે અપમાન કરતો રહેશે.  આ રીતે વિચારીને તે ઋષિ કુમારે પોતાની અંજુલીમાં કમંડળમાંથી જળ લઈને મંત્રોચ્ચાર સાથે આમંત્રિત કરીને રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો કે આજથી સાતમા દિવસે તક્ષક સાપ તમને કરડશે.

 દરી નાગ ઋષિના ગળામાં, નૃપાથી શું પાપ થયા છે.

 હુતો હોનહાર, રીંગી દીન્હો શાપ.

 જ્યારે શમિક ઋષિ સમાધિમાંથી ઉઠ્યા ત્યારે તેમના પુત્ર શૃંગીએ પિતાને બધી વાત કહી.  ઋષિએ કહ્યું કે દીકરા, તેં આ સારું નથી કર્યું.  તે રાજા છે.  અને રાજામાં ભલે રજો ગુણ હોય, પણ તમે તો સંતના પુત્ર છો.  કેમ ગુસ્સે થયા જેને તમે શાપ આપ્યો.

  કળિયુગની અસરથી તે રાજાએ ગુસ્સે થઈને સાપને ફેંકી દીધો.  રાજાએ જાણી જોઈને એવું નથી કર્યું.  સંતે કહ્યું દીકરા, હવે શ્રાપ પાછો નહીં આવે.  તમે રાજા પાસે જાઓ અને જાણ કરો કે સાતમા દિવસે તમારું મૃત્યુ થશે.

 પોતાના પુત્રના આ ગુનાથી શમિક ઋષિને ખૂબ જ પસ્તાવો થયો.

 જ્યારે પરીક્ષિત મહારાજ તેમના મહેલમાં પહોંચ્યા અને સોનાનો મુગટ ઉતારી લાવ્યો, ત્યારે કલિયુગની અસર સમાપ્ત થઈ ગઈ.  હવે પરીક્ષિતજી મહારાજ વિચારી રહ્યા છે કે મેં શું કર્યું.  એક સંતે એક બ્રાહ્મણ, એક ઋષિના ગળામાં સાપ મૂક્યો.  મેં બહુ મોટું પાપ કર્યું છે.  ખૂબ જ દુઃખી થઈ રહ્યા છીએ.

 તે જ સમયે શમિક ઋષિ દ્વારા મોકલેલ ગૌરમુખ નામનો શિષ્ય આવ્યો અને તેને કહ્યું કે ઋષિકુમારે તમને શ્રાપ આપ્યો છે કે આજથી સાતમા દિવસે તક્ષક સાપ તમને ડંખ મારશે.  રાજા પરીક્ષિતે શિષ્યને પ્રસન્ન કર્યા અને કહ્યું – “મુનિ કુમારે શાપ આપીને મારા પર મોટો ઉપકાર કર્યો છે.

  હું પણ ઈચ્છું છું કે મારા જેવા પાપીને મારા પાપની સજા મળે.  મહેરબાની કરીને મારો સંદેશ ઋષિકુમારને જણાવો કે તેમની દયા બદલ હું તેમનો અત્યંત આભારી છું.  તે શિષ્યને યોગ્ય માન આપી અને માફી માંગીને રાજા પરીક્ષિત ત્યાંથી ચાલ્યા ગયા.

 હવે પરીક્ષિતજી મહારાજે તરત જ તેમના પુત્રો જનમેજય વગેરેને બોલાવ્યા અને રાજ કાજનો ભાર તેમને સોંપી દીધો.  અને પોતે બધું છોડીને માત્ર લંગોટીમાં જ રહી ગયો છે.  અને પ્રતિજ્ઞા લીધી કે હવે આ જીવન ભગવાનની ભક્તિમાં વિતાવીશું.  આજ સુધી મેં ભગવાનને યાદ કર્યા નથી પણ મારે હવે આ દુનિયામાં રહેવું નથી.  ટુકડી હતી.

 પરીક્ષિતજી મહારાજ ગંગા નદીના કિનારે પધાર્યા છે.  જ્યાં અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, અરિષ્ટનેમી, શરદ્વાન, પરાશર, અંગિરા, ભૃગુ, પરશુરામ, વિશ્વામિત્ર, ઇન્દ્રમદ, ઉત્ત્યા, મેધાતિથિ, દેવલ, મૈત્રેય, પિપ્પલાદ, ગૌતમ, ભારદ્વાજ, અરવ, કંડવ, અગસ્ત્ય, નારદ અને નારદ વગેરે. દેવર્ષિ પહેલેથી જ તેમના શિષ્યો સાથે બેઠા છે.

 રાજા પરીક્ષિતે તેઓને યોગ્ય આતિથ્ય આપ્યું, તેમને આસન આપ્યું, તેમના ચરણોમાં પૂજન કર્યું અને કહ્યું – “તમારા જેવા ઋષિમુનિઓના દર્શન થયા એ મારું સૌભાગ્ય છે.  મેં સત્તાના મસ્તકમાં કચડાઈને સૌથી તેજસ્વી બ્રાહ્મણ સામે ગુનો કર્યો છે, છતાં તમે લોકો મને દર્શન આપવા અહીં આવવાની તસ્દી લીધી, આ તમારી મહાનતા છે.

 હું મારા જીવનના બાકીના સાત દિવસો જ્ઞાન અને ભગવાનની ભક્તિની શોધમાં વાપરવા ઈચ્છું છું.  તેથી, હું તમને બધાને વિનંતી કરું છું કે મને એવો સરળ માર્ગ જણાવો કે જેના પર હું ભગવાન સુધી પહોંચી શકું?  પરીક્ષિતજી મહારાજ પૂછે છે કે જેનું મૃત્યુ નજીક છે તેણે શું કરવું જોઈએ?

 તે જ સમયે, ઋષિ વ્યાસના પુત્ર, જન્મ અને મૃત્યુથી રહિત, પરમ જ્ઞાની શ્રી શુકદેવજી ત્યાં પધાર્યા.  રાજા પરીક્ષિત સહિત તમામ ઋષિઓ તેમના સન્માનમાં ઉભા થયા અને તેમને પ્રણામ કર્યા.  ત્યારપછી શ્રી શુકદેવજીની અર્ધ્ય, પદ્ય અને માળા વગેરેથી સૂર્ય જેવા તેજસ્વીની પૂજા કરી અને તેમને બેસવા માટે આસન આપ્યું.  તે બેઠા પછી બીજા ઋષિઓ પણ પોતાની આસન પર બેઠા.

 બધાનું આસન ગ્રહણ કર્યા પછી રાજા પરીક્ષિતે મધુર સ્વરે કહ્યું - "હે બ્રહ્મરૂપ યોગેશ્વર!  ઓહ મહાન!  જેમ ભગવાન નારાયણની સામે આવ્યા પછી રાક્ષસો ભાગી જાય છે, તેવી જ રીતે મહાપાપ પણ તમારા આવવાથી તરત જ ભાગી જાય છે.  તમારા જેવા યોગેશ્વરના દર્શન તો બહુ દુર્લભ છે, પણ તમે પોતે મારા મૃત્યુ સમયે આવ્યા છો અને મને પાપીને દર્શન આપીને મારા સર્વ પાપોમાંથી મુક્ત કરી દીધા છે.

  તમે યોગીઓના ગુરુ પણ છો, તમે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.  તો કૃપા કરીને મને કહો કે મૃત્યુ પામેલા પ્રાણી માટે શું ફરજ છે?  તેણે કઈ કથા સાંભળવી જોઈએ, કયા દેવતાનો જાપ કરવો જોઈએ, વિધિ કરવી જોઈએ, તેનું સ્મરણ કરવું જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ અને કઈ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ?

 ગુરુદેવ કહે છે કે આ પ્રશ્ન માત્ર પરીક્ષિતનો જ નથી પણ દરેક જીવનો છે.  કારણ કે આપણે બધા મૃત્યુની નજીક છીએ.  આપણે ગમે ત્યારે મરી શકીએ છીએ.  રાજાને 7 દિવસનો સમય પણ મળી ગયો, પરંતુ આપણે કયા દિવસે મૃત્યુ પામશું તે પણ ખબર નથી.

 તો જવાબમાં ગુરુદેવ કહે છે કે આયુષ્ય માત્ર સાત દિવસનું છે ભાઈ!  સોમવારથી રવિવાર સુધી.  અને આ સાત દિવસોમાં એક દિવસ આપણો દિવસ પણ નિશ્ચિત છે.  માટે દરરોજ ભગવાનનું સ્મરણ કરો, કીર્તન કરો અને ભજન કરો.

 આમ શુકદેવજી મહારાજે પરીક્ષિતને શ્રીમદ ભાગવત કથાનો રસ પીવડાવ્યો અને તેમને મોક્ષ મળ્યો.  ભગવાનના લોકો મળી આવ્યા છે.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Weekly Popular Updates

Gujarati Recipe

Gujarati Recipe
Gujarati food recipe best idea
html script

Popular Posts

Catagerios

Our Followers

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *