Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Showing posts with label ભારત ના મંદિરો. Show all posts
Showing posts with label ભારત ના મંદિરો. Show all posts

Saturday, 2 August 2025

દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાનજી ઉંધા ઉભા છે, અત્યંત ચમત્કારીક છે અહીંની પ્રતિમા

 દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાનજી ઉંધા ઉભા છે, અત્યંત ચમત્કારીક છે અહીંની પ્રતિમા

આ મંદિર રામ-રાવણ યુદ્ધ અને અહિરાવણ સાથે જોડાયેલું છે. મંદિરનો ઈતિહાસ ઘણો જૂનો છે. રામાયણ કાળમાં ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું, ત્યારબાદ અહિરાવણે એક ચાલાકી કરી અને પોતાનું રૂપ બદલીને રામની સેનામાં દાખલ થઇ ગયો. ત્યારબાદ રાત્રે જ્યારે બધા સૂતા હતા, ત્યારે અહિરાવણે પોતાની શક્તિથી શ્રી રામ અને લક્ષ્મણજીને બેભાન કરી દીધા અને તેમનું અપહરણ કર્યું. તે તેમને પોતાની સાથે પાતાળલોકમાં લઈ ગયો અને જયારે વાનર સેનાને આ વાતની જાણ થઈ તો ચારેબાજુ ગભરાટ ફેલાઈ ગયો. 


હનુમાનજી ભગવાન રામ અને લક્ષ્મણની શોધમાં પાતાળલોક પહોંચ્યા અને ત્યાં અહિરાવણને મારીને ભગવાન રામ અને લક્ષ્મણને પાછા લાવ્યા. એવું માનવામાં આવે છે કે સાંવેર તે જ સ્થાન હતું જ્યાંથી હનુમાનજી પાતાળલોકમાં ગયા હતા. તે સમયે હનુમાનજીના પગ આકાશ તરફ અને માથું ધરતી તરફ હતું. જેના કારણે તેમના ઉલટા સ્વરૂપની પૂજા મૂર્તિ આજે પણ ત્યાં સ્થાપિત છે અને આ તે જ સ્થાન છે.

આ મંદિર ઈન્દોરથી લગભગ 35 કિલોમીટર દૂર સાંવેરમાં આવેલું છે. જો તમે મંદિરના દર્શન કરવા આવો છો, તો ઈન્દોરથી અહીં પહોંચવામાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. આ મંદિરમાં બજરંગબલી માથું ઊંધુ રાખીને ઉભા છે. એટલે કે તેમની પ્રતિમા ઉલટી છે. આ મધ્યપ્રદેશનું પ્રખ્યાત મંદિર છે.

જય હનુમંત મહારાજ


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Wednesday, 2 July 2025

હરસિધ્ધિ મંદિર કોયલા ડુંગર જ્યાંથી દ્વારકા માત્ર 64 કી.મી દુર્ છે.જાણો આ મંદીર ના રહશ્ય વિશે...

 વાત છે એવા જ એક ધાર્મિક સ્થળની જેનો સીધો જ સંબંધ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સાથે. પોરબંદર થી દ્વારકા જતા માત્ર 42 કિ.મિ. ના અંતરે આવેલુ ગામ ગાંધવી અને મિયાણી જ્યાં કોયલા ડુંગર પર બિરાજે છે કોયલા ડુંગર ની મહારાણી માં ભવાની હરસિધ્ધિ. આ સ્થળ હર્ષદ ના નામ થી પ્રસિધ્ધ છે. જ્યાં થી દ્વારકા માત્ર 64 કિ.મિ. દૂર થાય. જામનગર થી 135 કિ.મિ. કાપી ને આવે છે.

ભાળિયા, ભાટિયા, લાંબા થઇને પણ હર્ષદ પહોંચી શકાય. કોયલા ડુંગર પર 299 પગથિયાં ચડીને આવેલુ છે માં હરસિધ્ધિ નુ અતિ પ્રાચીન મંદિર. એમ કહેવાય છે કે જરાસંધ સામે લડવા અને શંખાસુર નામ ના રાક્ષસ નો વધ કરવા ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં માં અંબા નુ આવાહન કરેલુ અને માતાજી એ શંખાસુર નો વધ કર્યો. ત્યારબાદ ભગવાન માધવરાય શ્રી કૃષ્ણ એ અસૂરો પાસે આ મંદિર બંધાવ્યુ. આ મંદિર ના સ્થંભો ના નિચલા ભાગમાં આજે પણ અસૂરો ના મુખ ચિત્રાયેલા છે. જે એવુ મનાય છે કે માં હરસિધ્ધિ એ આ મંદિર ના સ્થંભ હેઠળ બધા અસૂરો ને દબાવી દીધા છે.

વિક્રમ સંવત શરૂ કરાવનાર સમ્રાટ વિક્રમાદિત્ય ના આરાધ્ય દેવી પણ માં હરસિધ્ધિ હતા. ઉજ્જૈન માં પવિત્ર ક્ષિપ્રા નદી ના કિનારે માં હરસિધ્ધિ નું ભવ્ય મંદિર આવેલુ છે. જ્યાં મંદિર ના પ્રાંગણ માં રહેલા બે સ્થંભ ના દિવડા પ્રગટાવીને માતાજી ની ભવ્ય આરતી કરવામાં આવે છે. જે ભવ્ય આરતી એક કલાક સુધી ચાલે છે. ઉજ્જૈન નું માં હરસિધ્ધિ મંદિર એ એક શક્તિપીઠ પણ છે. હર્ષદ અને ઉજ્જૈન બન્ને જગ્યા એ માતાજી છત્તર કે જુલો હલાવી ને પોતાની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. આ આરતી મા હજારો શ્રધાળુઓ ઉમટી પડે છે. હર્ષદ ના નીચે ના મંદિરમાં આ આરતી કરવામાં આવે છે.


કોયલા ડુંગર ની પણ એક ખાસ વાત એ છે કે આ મંદિર ને શિખર જ નથી. જેની પાછળ પણ એક કથા રહેલી છે. એ અરસા માં જગડુશા શેઠ નામના એક શ્રીમંત વણિક હતા. તેમની ફાટફાટ થતી શ્રીમંતાઇ અને અઢળક રૂપિયા ના કારણે તેમને ખુબ અભિમાન હતુ. એ સમય માં જગડુશા શેઠ ની ઘણી બોટો દરિયા માં ચાલતી. માતાજીએ શેઠ ને અભિમાન માંથી ભાન કરાવવું. એક વખત તેની બધી બોટ ડૂબી ગઇ. એક છેલ્લી બોટ બચેલી તેમાં જગડુશા શેઠ ને કોઇએ કહ્યું જો તમે આ કોયલા ડુંગર વાળી ને ખરા દિલ થી પોકાર કરશો તો માતાજી જરૂર તમારી સહાય કરશે. જગડુશા શેઠે માતાજી ને પોકાર કર્યો અને માતજી એ શિખર તોડી ત્રિશૂલ બતાવી અને જગડુશા શેઠ ને મોતમાંથી ઉગારી લીધા. ત્યારબાદ શેઠ નું અભિમાન ચકનાચુર થઇ ગયું અને જગડુશા માતાજીની શરણે આવ્યા. એક માનતા મુજબ જગડુશા એ કોયલા ડુંગર ના દરેક પગથિયા પર પશુબલિ ચડાવેલી અને ઘર ના ચાર સભ્યો સાથે પોતે પણ પગથિયા પર બલિ આપી દીધી એવી પણ કથા છે. આજે પણ તેમના પાળિયા ત્યાં મંદિર મા સ્થાપિત છે. આટલી માત્રામાં પશુબલિ એ થોડુ અરેરાટી ભર્યું તો છે પણ ભવાની એ તો સૌની માં છે એમ કહેવાય છે કે તેમણે બધા પશુઓ ને પુનર્જિવીત કરી દીધેલા.

માં હરસિધ્ધિ ને સાગરખેડૂઓ બહૂ પૂજે છે તેથી માતાજી માં વહાણવટી ના નામથી પણ પ્રસિધ્ધ છે. હરસિધ્ધિમાં ની માં સિકોતેર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. હર્ષદ માં એક તરફ કોયલા ડુંગર ની આસપાસ નો પર્વતીય પ્રદેશ અને એક તરફ માં વહાણવટી ના ચરણ પખાળતો સમુદ્ર એક નયનરમ્ય દ્રશ્ય ઊભુ કરે છે. તેમજ મંદિરની આરતી નો કર્ણપ્રિય ઘંટારવ મનમાં તાજગી તેમજ તન માં શક્તિ અને સ્ફુર્તિ ભરે છે.

આ મંદિર નહી કોઇ પણ મંદિર ની આરતી જોઇએ તો બધા શ્રધ્ધાળુઓ એક તાલ માં એક લય માં તાળી ઓ વગાડતા હોય છે અને લીન થઇ જતા હોય છે એટલે એમ કહી શકાય કે અલગ-અલગ પ્રદેશ થી આવતા શ્રધ્ધાળુઓ કે જેમની માનસિક્તા ,નાત-જાત, રહેણી-કરણી બધુ અલગ છે પરંતુ તે બધા ને એક લય એલ તાલ અને એલ બિંદુ પર કેંદ્રિત કરતું તત્વ એટલે ઇશ્વર. ત્યાં નાત-જાત, ઊંચ-નીચ, રંગ-વર્ણ નો કોઇ ભેદ નથી હોતો, હોય છે તો માત્ર મનુષ્યો. એથી પણ આગળ વધી ને કહું, તો હોય છે એ બ્રહ્માંડ ભાંડોદરી પરાશક્તિ ના બધા સંતાનો. આ પર થી મને ઋગ્વેદ ની એક ઋચા યાદ આવી ગઇ.

જય માતાજી


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Sunday, 9 February 2025

શ્રી ઝંડ હનુમાન મંદિર- જાંબુઘોડા અભયારણ્ય જે પાવાગઢ નજીક આવેલું છે.

 શ્રી ઝંડ હનુમાન મંદિર- જાંબુઘોડા અભયારણ્ય

ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્વાનો વડ, પીપળો, ખીજડો (શમી), તુલસી જેવી વૃક્ષપૂજા, ગાય, અશ્વ, મગર, વાઘ, હાથીના માથાવાળા ગણેશ અને મંકી ગોડ-વાનર જેવી પશુપ્રાણીઓની પૂજા નિહાળી પ્રભાવિત થાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે, ભાવવિભોર બની તેમના કાયમી ભક્ત બની જાય છે, અને ભારતમાં જ રહી જાય છે. મારી વાતમાં વિશ્વાસ ન પડતો હોય તો પોરબંદર-માધવપુર (ઘેડ) વચ્ચે માધવપુરથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલા મોઆ હનુમાનની જગ્યાની કોઈવાર મુલાકાત લેજો. અહીં ફ્રાંસનાં એક મહિલા મોઆ હનુમાનની ૩૨ વર્ષથી સેવા-પૂજા ને આરતી કરે છે. મલક એમને સંતોષગિરી માતાજીના નામે ઓળખે છે, ને હવે તો તેઓ કાઠિયાવાડી ભાષામાં વાતો પણ કરે છે.

રામાયણનાં પાનાં બોલે છે કે રામનો રાજ્યાભિષેક થયા પછી પણ હનુમાન તેમની સાથે જ રહ્યા. તેમણે સેવાથી રામને પ્રસન્ન કર્યા. રામે તેમને બ્રહ્મવિદ્યા શીખવી. રામચંદ્રજી નિજધામ જતા હતા તે વખતે હનુમાન સાથે જવા લાગ્યા. ત્યારે રામે ‘આ કલ્પ ના અંત સુધી તારે આ ભૂમિ પર રહેવું’ એવી આજ્ઞા કરી. હનુમાન બહુધા હિમાલયના ગંધમાદન શિખર ઉપર રહે છે. કોઈ કોઈ વખત કંિપુરુષ વનમાં વસે છે, તો કોઈવાર ડુંગર માથે જઈને આસન માંડે છે. એવું એક મંદિર હનુમાનધારાના નામે જાણીતું છે. મંદાકિની નદીના સામે કિનારે હનુમાનધારા નામનો ડુંગર છે. આ ડુંગરાળ પ્રદેશમાં ગીચ જંગલ આવેલું છે. તેમાં વાઘ, ચિત્તા જેવા ભયંકર જનાવરો રહે છે. ટેકરીની પાછળ સાઘુસંતોની ગુફાઓ આવેલી છે. ત્યાં રસ્તાઓ એટલા તો ભૂલભૂલામણીવાળા અને અટપટા છે કે અજાણ્યા માણસો તેમાં અચૂક અટવાઈ જાય છે. હનુમાનધારાનો ડુંગર ચડતાં બસોથી ત્રણસો પગથિયાં માથે હનુમાનજીનું મંદિર આવે છે. એની દંતકથા એવી છે કે જ્યારે સીતાજી ચિત્રકૂટ તરફ પ્રયાણ કરતાં હતાં ત્યારે તેઓએ ભોજન બનાવીને વિશ્રામ કરેલ. આ વાતના સ્મરણમાં ત્યાં નાની સુંદર પર્ણકૂટિ બંધાવેલ છે.

અરણ્યદેવ હનુમાનજીનું બીજું એક મંદિર વન અને ડુંગરની વચમાં ગિરનાર પર આવેલું છે. તે પણ હનુમાનધારાના નામે જાણીતું છે. અહીં હનુમાનજીના મોંમાંથી અખંડ પાણીની ધારા વહે છે. આજે અરણ્ય વિસ્તારમાં વસનારા આદિવાસીઓના આરાઘ્ય વાનરદેવ ઝંડબાપજી અર્થાત્‌ ઝંડ હનુમાનજીના દેહાણ્ય સ્થાનકની વાત કરવી છે.

વાહન અને વસ્તીથી હાંફતા નગરજીવનના ધાંધલ-ધમાલ અને ઘૂળ-ઘૂમાડાથી તમે થાક્યા હો ને પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા સ્થળે જઈ તમારો થાકોડો ઊતારવો હોય તો દ.ગુજરાતમાં આવેલા ઝંડ હનુમાનજીના સ્થાનકની એકવાર મુલાકાત લેવા જેવી ખરી. મને ખબર છે કે તમે તુરત જ બોલી ઉઠવાના કે ‘ભૈ, આ સ્થાનક આવ્યું ક્યાં ? દાદાના દર્શન કરવા હોય તો ક્યાં થઈને જવાય ?’

તો સાંભળો, વડોદરાથી ૯૦ અને પાવાગઢથી ૩૨ કિ.મીટરના અંતરે જાંબુઘોડાના અભયારણ્યમાં ઝંડ હનુમાનજીનું ઓછું જાણીતું સ્થાનક આવેલું છે. વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં તરગોળ જૂથના આદિવાસી વિસ્તારમાં ઝંડ નામનું નાનકડું ગામ છે. ગામની પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં પંચમહાલ જિલ્લાની અને દક્ષિણે વડોદરા જિલ્લાની સરહદો અડે છે. જાંબુઘોડાથી ૧૧ કિ.મીટરનો રસ્તો કાચોપાકો છે. જાંબુઘોડાથી બોડેલી તરફ જતાં મુખ્ય માર્ગ પર ઝંડ હનુમાન ૧૧ કિ.મી.નું પાટિયું આવે છે. ત્યાંથી ચાલતા, વાહન કે બાઈક ઉપર તલાવિયા, રાસ્કા અને લાંભિયા ગામ થઈને ત્યાં જઈ શકાય છે. પાંચેક કિ.મીટરના પાકા રસ્તા પછી ઓબડધોબડ કાચો રસ્તો આવે છે. અહીંયા એક વખત પ્રવેશો એટલે પ્રકૃતિ સાથે તમારો સંપર્ક જીવંત થઈ જાય છે. ચારે બાજુ વિશાળ પર્વતો, લીલીછમ વનરાજી, શ્રાવણ માસમાં વાદળછાયું વરસાદી મદમસ્ત વાતાવરણ, પ્રકૃતિનો આનંદ માણી રહેલ પશુપક્ષીના મઘુર અવાજો અને જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી. ચોતરફ પ્રસન્નપણે પથરાયેલું પ્રાકૃતિક સૌંદર્ય. શાસ્ત્રમાં કહ્યું છે કે તમારે ભગવાનને પામવા હોય ત્યારે મોહ-માયાના બંધન અને ભૌતિક સુખોથી મુક્ત થવું પડે. અહીં રેડિયો પર કોઈ સ્ટેશન કે મોબાઈલ પર કોઈ ટાવર પકડાતા નથી. મારગ માથે કોઈ લારી-ગલ્લા કે હાટડીઓ નથી. કુદરતી વાતાવરણનો આંખોને ઠંડક આપતો અહેસાસ અને માનસિક શાંતિ આપતું ઘનઘોર જંગલનું અફાટ સામ્રાજ્ય એમ શ્રી વિજય રોહિત નોંધે છે.

ઝંડબાપજીના દર્શને જતાં ૧૧ કિ.મીટરના અંતરમાં તમને તળાવ, નાના નાના ઝરણાં જોવા મળશે. તેને ઓળંગીને જવાથી બાળકો સહિત પ્રકૃતિને માણનારાઓને અપાર આનંદની અનુભૂતિ થાય છે. ઝંડ હનુમાન જતા સુધીમાં નવ નવ વાર ખળખળ વહેતાં ઝરણાં આવે. ઝરણાં જોતાં જોતાં, ઝરણાંમાં હાથમોં ધોઈ એ પાણીમાં છબછબિયાં કરતાં કરતાં, વૃક્ષ, વનરાજિ અને લીલાછમ જંગલ ઝાડિયું અને પ્રકૃતિને પામતાં પામતાં ક્યારે ઝંડ હનુમાન પહોંચી જાવ છો એની યે ખબર પડતી નથી.

અહીં હરિયાળી વનરાજિ વચ્ચે બે ડુંગરીઓની સાંકડી ખીણની ડાબી બાજાુએ પચાસ સાઈઠ ફૂટ ઊંચા ડુંગરાના વિશાળ ખડક પર અઢાર ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતી ઝંડ હનુમાનજીની નયનમનોહર ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. મૂર્તિના ખભા પાછળ મોટું પૂંછડું દેખાય છે. આ પૂંછડાને ત્યાં વસતા આદિવાસીઓ ‘ઝંડ’ કહે છે. આવું ઝંડ-ઝૂંડવાળું પૂછડું ધરાવતા હનુમાનજી દાદાને તેઓ ઝંડબાપજી તરીકે પૂજે છે. આ ગામનું નામ ‘ઝંડ’ પણ ઝંડબાપજીના નામ પરથી પડ્યું છે તેમ તેઓ કહે છે. ગુજરાતમાં હનુમાનજીની એકમુખી અને પંચમુખી અસંખ્ય મૂર્તિઓ મળે છે પણ ખડક કોતરીને એક જ પથ્થરમાંથી બનાવેલી ૧૮ ફૂટ ઊંચી આ મૂર્તિ છે. આવી મૂર્તિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. દેવમૂર્તિના ડાબા પગ નીચે છએક ફૂટની ઉંચાઈ ધરાવતી પનોતીને દાદાએ દબાવેલી છે. આ વિસ્તારમાં વસતા આદિવાસીઓ કહે છે કે ઝંડદેવની આ મૂર્તિ પાવાગઢના પતાઈ રાવળના સમય પહેલાની છે. ખરેખર તો પાંચસો વર્ષ પૂર્વે હનુમાનજીની આવી મૂર્તિઓ ભાગ્યે જ બનાવવામાં આવતી. ઝંડદેવની મૂર્તિ પરનું તક્ષ્ણકામ જોતાં આ પ્રતિમા બસો અઢીસો વર્ષથી વઘુ જુની હોવાનું પુરાતત્ત્વવિદો માનતા નથી.

ઝંડદેવની મૂર્તિ ભલે બે અઢી દાયકાથી વઘુ પુરાણી ન હોય પણ આ સ્થળ-આ વન મહાભારતના સમય જેટલું પ્રાચીન છે. દંતકથા કહે છે, કે પાંડવો વનવાસ દરમ્યાન અહીં આવેલા. પૌરાણિક સમયમાં આ વન હેડંબાવન તરીકે વિખ્યાત હતું, અને છેક રાજપીપળા સુધી વિસ્તરેલું હતું. હાલ તે જાંબુઘોડાના અભયારણ્ય તરીકે ઓળખાય છે. ઝંડ હનુમાનજીના મંદિરથી થોડે દૂર જંગલમાં આગળ જાવ તો અર્જુને દ્રૌપદી માટે તીર મારીને જમીનમાંથી પાણી કાઢ્‌યું હતું તે જગા આજેય મોજુદ છે. ત્યાંથી નીકળતું પાણીનું ઝરણું બારેમાસ વહેતું રહે છે. અહીંથી થોડા આગળ જાવ એટલે મોટા પથ્થરમાંથી કંડારેલી ઘંટી આવે છે. એ ભીમની ઘંટી તરીકે જાણીતી છે. ૨૫-૫૦ માણસો ફેરવે તોય ન હલે એ ઘંટી ભીમ એકલા હાથે ફેરવતો એવી દંતકથા છે. બળુકા ભીમની શક્તિ માટેની ઘણી વાતો મહાભારતમાંથી મળે છે.

આપણે દેવદર્શને જઈએ ત્યારે રસ્તામાં ચગા (પથ્થરની ડેગમાળ) આવે છે. અહીં પડેલા નાના નાના ગોળ પથ્થરો એક ઉપર એક શ્રદ્ધાળુઓ ચડાવે છે. લોકવાયકા એવી છે કે આ પથ્થર એક ઉપર એક એમ ચડાવો એટલે જેટલા પથ્થર ચડે એટલા માળનું તમારું ઘર બને. આવા ચગા અહીં ઠેરઠેર જોવા મળે છે. અહીં ઠેર ઠેર પ્રાચીન શિલ્પો મળે છે. પગથિયાં ઉતરતાં નાગના ત્રણ પ્રતીકો કોતરેલી નાગદાદાની મૂર્તિ, સપ્તમાતૃકાનો પથ્થરનો પટ, મહિષાસુરમર્દિની, ભગવાન ભોળાનાથનું શિવલિંગ અને રામના પગલાં જોવા મળે છે.

દર વરસે ફાગણ સુદ અગિયારસની આસપાસ ઝંડબાપજીના સ્થાનકે જાતર મેળો ભરાય છે. હજારો આદિવાસીઓ અહીં શ્રદ્ધાપૂર્વક ઉમટી પડે છે. એક ડબા તેલમાં અઢી શેર સિંદૂર ભેળવીને ઝંડદેવની મૂર્તિને સિંદૂરિયા રંગે રંગી નાખે છે. બાધા-માનતાવાળા લોકો અહીં આવીને દેવને પારે બાધા-આખડી છોડે છે. શ્રદ્ધા હોય તો તમારા તમામ મનોરથ અહીં પૂર્ણ થાય છે.

હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધાને કારણે બારેમાસ ભક્તોનો પ્રવાહ વહેતો રહે છે. શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે ઝંડ હનુમાનના સ્થાનેક માનવ મહેરામણ ઉમટે છે. મંદિર ભક્તોની ભીડથી હાંફવા માંડે છે. ઝંડદેવને વિશિષ્ટ વાઘાના શણગારો, કેસર, તેલ અને આંકડાની માળા ચડે છે ત્યારે સાક્ષાત્‌ હનુમાનજી હાજરાહજુર હોય એવી અનુભૂતિ થાય છે. શનિની પનોતીવાળા અહીં આવી શાંતિની અનુભૂતિ કરે છે. હનુમાજીને ગદા પ્રિય હોવાથી ભક્તો ૧૦૮ લવિંગની માળા ચડાવે છે. વડોદરાની જૂની કાછીયાવાડના હનુમાન ભક્તોએ દાદાને ૫૧ કિલો પંચધાતુની ગદા અને ૧૧ કિલોનો મુગટ ભેટ ચડાવ્યો છે. બાધા- માનતાવાળા ભક્તો શનિવારે મનવાંચ્છિત ફળ મેળવવા માથે તેલનો ડબો ઉચકીને દાદાને તેલ ચડાવવા આવે છે.

દાદાના દર્શન કરીને પરવારેલા ભક્તો કુટુંબ પરિવાર સાથે મંદિરની સામે ખુલ્લા મેદાનમાં વનકુટિર અને વિશ્રામ સ્થળ છે ત્યાં બેસીને નાસ્તો પાણી કે ભોજન જમે છે. બાળકો રમતો રમે છે. આમ દર્શનના દર્શન, પિકનીકની પિકનીક પ્રકૃતિ સૌંદર્ય અને માનસિક શાંતિની અનુભૂતિ ! એક સામટા કેટલા બધા લાભો પ્રવાસીઓને પ્રાપ્ત થાય છે. ઝંડ હનુમાન જાવ એટલે તમને જાંબુઘોડાના અભયારણ્યમાં વિહરતાં કેટકેટલા જાનવરો, પશુપક્ષીઓ અને વૃક્ષવનરાજિ જોવા મળે ! 

પ્રકૃતિપ્રેમીઓને માટે ઘેર બેઠા ગંગા જેવું છે.





To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Friday, 22 November 2024

હડિંબા દેવી મંદિર, હિમાચલ પ્રદેશના મનાલીની શાંત પહાડીઓમાં ,આવેલું છે જાણો..

 હિડિમ્બા મંદિર,હડિંબા દેવી મંદિર, હિમાચલ પ્રદેશના મનાલીની શાંત પહાડીઓમાં ઇતિહાસ અને પૌરાણિક કથાઓના ભેદી મિશ્રણ તરીકે ઊભું છે.  મહારાજા બહાદુર સિંહ દ્વારા 1553માં બાંધવામાં આવેલ આ મંદિર મહાભારતની આકૃતિ હિડિમ્બા દેવી ને સમર્પિત છે.  હિડિમ્બા એક રાક્ષસ હતી જેણે પાંડવોમાંના એક ભીમ સાથે લગ્ન કર્યા પછી તેના વિકરાળ સ્વભાવનો ત્યાગ કર્યો હતો.  મંદિર તેના પરિવર્તન અને દૈવી સ્થિતિનું સ્મરણ કરે છે.

 તેની અનન્ય સ્થાપત્ય શૈલી, જેને પેગોડા શૈલી તરીકે ઓળખવામાં આવે છે, તે લાકડામાંથી બનાવેલ  છે અને ગાઢ દેવદારના જંગલોથી ઘેરાયેલી છે, જે રહસ્યમયતાની આભા ઉમેરે છે.  અંદર કોઈ મૂર્તિ નથી, માત્ર હિડિમ્બાના પગની નિશાની માનવામાં આવે છે, જે મંદિરના રહસ્યમય આકર્ષણને વધારે છે.

 કથાઓ કહે છે કે હિડિમ્બાએ આ સ્થળે ધ્યાન કર્યું હતું, દિવ્યતા પ્રાપ્ત કરી હતી અને સ્થાનિક લોકો માને છે કે તેમની ભાવના પ્રદેશનું રક્ષણ કરવાનું ચાલુ રાખે છે.  ભવ્ય દેવતાઓ અથવા વિસ્તૃત ધાર્મિક વિધિઓની ગેરહાજરી મંદિરને અલ્પોક્તિયુક્ત છતાં ગહન આધ્યાત્મિક સાર આપે છે, જે તેને માત્ર એક ઐતિહાસિક સ્થળ જ નહીં પરંતુ ભારતના પૌરાણિક ભૂતકાળમાં એક રહસ્યમય પ્રવાસ બનાવે છ.



 #hidimbatemple #Bharat #Travel #Explore


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Thursday, 31 October 2024

શ્રી મહાલક્ષ્મીનો આ દરબાર 'દક્ષિણ ભારતનું સુવર્ણ મંદિર' છે, તેને બનાવવામાં 15 હજાર કિલો સોનું વપરાયું છે શ્રી લક્ષ્મીનારાયણી ગોલ્ડન ટેમ્પલ જાણો

મહાલક્ષ્મીનો આ દરબાર 'દક્ષિણ ભારતનું સુવર્ણ મંદિર' છે, તેને બનાવવામાં 15 હજાર કિલો સોનું વપરાયું છે.

.આપણા દેશમાં માતા લક્ષ્મીના ઘણા મંદિરો છે, પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેને 'દક્ષિણ ભારતનું સુવર્ણ મંદિર' કહેવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિરના નિર્માણમાં મોટા પ્રમાણમાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  વાસ્તવમાં, આપણી સામે સુવર્ણ મંદિરનો ઉલ્લેખ થતાં જ આપણા મગજમાં ફક્ત અમૃતસરનું સુવર્ણ મંદિર આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે એક બીજું સુવર્ણ મંદિર છે, જે તમિલનાડુના વેલ્લોરમાં મલાઈકોડી પહાડીઓ પર આવેલું છે. આ મંદિરમાં માતા લક્ષ્મી બિરાજમાન છે.

કહેવાય છે કે આ મંદિરના નિર્માણમાં 15 હજાર કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં દરરોજ સવારે 4 થી 8 વાગ્યા સુધી વિશેષ પૂજા કરવામાં આવે છે અને તે પછી તેને મુલાકાતીઓ માટે ખોલવામાં આવે છે. આ મંદિર રાત્રે આઠ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે.

શ્રી લક્ષ્મી નારાયણી ગોલ્ડન ટેમ્પલ

આ મંદિર 100 એકરમાં ફેલાયેલું છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ દાયકાઓ પહેલા થયું હતું. આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. સોનાની ચમકને કારણે આ મંદિર રાત્રે ખૂબ જ સુંદર લાગે છે. કહેવાય છે કે આ મંદિરના નિર્માણમાં અંદાજે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

   જો આપણે અમૃતસરના સુવર્ણ મંદિરની વાત કરીએ તો ત્યાં માત્ર 750 કિલો સોનાથી બનેલી શામિયાણી છે. જ્યારે તમિલનાડુના વેલ્લોરમાં સ્થિત મહાલક્ષ્મીના આ મંદિરમાં 15 હજાર કિલો સોનાનું રોકાણ કરવામાં આવ્યું છે.











To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Wednesday, 23 October 2024

માં તુળજા ભવાનીની પ્રાગટ્ય કથા

માં તુળજા ભવાનીની પ્રાગટ્ય કથા 

પ્રાચીન કાળમાં કોઇ એક નગરમાં કરદમ નામનો એક ભલો બ્રાહ્મણ રહેતો હતો.એ બ્રાહ્મણને અનુભૂતિ નામની અત્યંત સ્વરૂપવાન,સુશીલ અને સંસ્કારી પત્ની હતી.બંનેનું ગૃહસ્થ જીવન પ્રભુભક્તિના સંગે સુંદર રીતે ચાલતું હતું.પણ વિધાત્રીને આ મંજુર નહોતું….! કોઇ કારણોસર કરદમ મૃત્યુ પામ્યો.ભરજોબને અનુભૂતિનો ગૃહસ્થાશ્રમ પડી ભાંગ્યો.તે કલ્પાંત કરવા લાગી અને પછી તેણે પતિ પાછળ સતી થવાની તૈયારી કરી.પણ લોકોએ તેને વારી.કારણ કે,તે ગર્ભવતી હતી અને તેના ઉદરમાં કુમળુ બાળ આકાર લઇ રહ્યું હતું.એને જીવતા બાળી દેવું એ ક્યાંનો ન્યાય ? ધર્મશાસ્ત્રો પણ આ પાપને વખોડી કાઢે છે.

 આથી અનુભૂતિ સતી થવાનો વિચાર છોડી માં મંદાકિની અર્થાત્ ગંગા કિનારે જતી રહી અને તપશ્વર્યા કરવા લાગી.નાનકડી પર્ણકુટીર બાંધી ફળ-ફળાદિ પર રહી એકદમ સાદું જીવન જીવવા લાગી.


 એવામાં એક વખત એ પ્રદેશનો રાજા કૂકર અનુભૂતિ રહેતી હતી તે બાજુ ફરતો ફરતો આવી ચડ્યો.તેણે અનુભૂતિને જોઇ.વલ્કલ વસ્ત્રોમાં પણ તેનું લાવણ્ય સુંદર રીતે દિપતું હતું.કૂકર એનાં રૂપને જોઇ ભાન ભુલ્યો અને તેની તરફ આકર્ષાયો.

 અનુભૂતિ તો સતી હતી.તેણે કૂકરની વાત કાન પર જ ધરી નહી અને આથી કૂકર બળજબરી કરવા લાગ્યો.હવે એક અબળાને કોની સહાય ? અનુભૂતિએ જગતજનની જગદંબાની પ્રાર્થના કરવા માંડી.અનુભૂતિની નિ:સહાય સ્થિતીથી અને એની પ્રાર્થનાથી જગદંબા પ્રસન્ન થયા.અને કૂકર સાથે તેણે યુધ્ધ કર્યું.તુમુલ સંઘર્ષ થયો.લડતાં લડતાં પિશાચી શક્તિઓના જાણકાર એવા કૂકરે મહિષ [ પાડા ]નું રૂપ ધારણ કર્યું.અને “મહિષાસુર” બન્યો.પણ અધર્મની ઘોડી કદી એના ઠેકાણે પહોંચી છે ! જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો અને એ દિવસ “વિજયાદસમી” તરીકે ઓળખાયો.અનૂભુતિની ત્વરિત રક્ષા કરવા ઉપસ્થિત થનાર અને મહિષાસુર સંહારનાર જગદંબા “ત્વરિતા” તરીકે ઓળખાયા.”ત્વરિતા” શબ્દને મરાઠી ભાષામાં “તુળજા” કહેવાય છે.આથી શક્તિનું નામ “તુળજા ભવાની” પડ્યું.

✽ મંદિરો 

ભારતમાં તુળજા ભવાનીનું પ્રસિધ્ધ મંદિર મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જીલ્લાના તુળજાપુરમાં આવેલ છે. જે મંદિર શિવાજીના કુળદેવીનું છે અને ઘણું પ્રાચીન છે. કહેવાય છે કે,યુધ્ધમાં જતાં પૂર્વ શિવાજી અચુકપણે અહિં દર્શન કરવા આવતા….! વળી,એક વાયકા એવી પણ છે કે શિવાજીની “ભવાની તલવાર” અહિંથી જ સાક્ષાત્ તુળજા ભવાનીએ આપેલી….! જે હાલ લંડનના મ્યુંઝીયમમાં હોવાનું કહેવાય છે.આજે પણ તુળજા ભવાનીનું આ મંદિર શ્રધ્ધાળુઓથી ધમધમતું રહે છે.

તુળજાપુર સુધી જવા માટે બધી રીતે વાહનોની સગવડ મળી રહે છે. દક્ષિણથી આવનારા યાત્રી નાલદુર્ગ સુધી સરળતાથી બાય રોડ જઈ શકે છે, જે ફક્ત ઉત્તરી અને પશ્ચિમી રાજ્યોથી આવનારા તીર્થયાત્રી સોલાપુરના રસ્તે તુળજાપુર સુધી આવી શકે છે. જ્યારે કે પૂર્વના રાજ્યો તરફથી આવનારા યાત્રીઓ નાગપુર કે લાતૂરના રસ્તે અહીં આવી શકે છે.

રેલમાર્ગ – તીર્થયાત્રી સોલાપુર સુધી રેલ્વે દ્વારા આવી શકે છે જે તુળજાપુરથી ફક્ત 44 કિલોમીટરના અંતરે આવેલુ છે.

વાયુમાર્ગ – તુળજાપુર સુધી આવવા માટે અહીંથી સૌથી નજીકનુ હવાઈમથક પુના છે, જ્યાથી બસ અથવા ખાનગી વાહનો દ્વારા આ સ્થળ સુધી પહોંચી શકાય છે.

આવું અન્ય એક મંદિર રાજસ્થાનમાં પણ આવેલ છે જે રાજસ્થાનના ચિતોડગઢમાં સ્થિત છે.

 વંદન એ ભવાનીને જેણે મહિષાસુરનો સંહાર કર્યો અને કલિકાળમાં શિવાજીમાં પોતાની શક્તિ મુકી ધર્મ અને માનવતાની ધજા ફરકતી રાખી….!

 જય ભવાની !


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Sunday, 20 October 2024

પ્રાચી તીર્થ સૂત્રાપાડા તાલુકા ગીરસોમનાથ ગુજરાત-સો વાર કાશી એકવાર પ્રાચી

સો વાર કાશી એકવાર પ્રાચી

પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે શું છે નાતો ?

પ્રાચી તીર્થનો (prachi tirth) મોક્ષ પીપળો એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો ! કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા !

  આજે અમારે પિતૃ મોક્ષાર્થે સર્વોત્તમ મનાતી એ ભૂમિની વાત કરવી છે, કે જે કાશી કરતાં પણ સવિશેષ મહત્વ ધરાવે છે. આ ભૂમિ એટલે પ્રાચી તીર્થ (prachi tirth) . જેના વિશે કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી !

  પ્રાચી તીર્થક્ષેત્ર એ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં વિદ્યમાન છે. આ તીર્થક્ષેત્રનો મહિમા જ એ છે કે અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે. ઉત્તરાખંડના માણા ગામ સમીપે સરસ્વતીનું પ્રગટ સ્થાન આવેલું છે. પરંતુ, આ સરસ્વતીના નીર થોડાં અંતરે વહીને પુનઃ લુપ્ત થઈ જાય છે. કહે છે કે સરસ્વતીના તે જ નીર પુનઃ પ્રાચીમાં પ્રવાહિત થાય છે

  .અહીં આ પ્રગટ સરસ્વતીના તેમજ મોક્ષ પીપળાના દર્શનનો અદકેરો મહિમા છે.

લોકમાન્યતા અનુસાર પ્રાચીનો મોક્ષ પીપળો એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો ! કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતાં. સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વયં શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીનેશ્રીમદ્ ભાગવતનું જ્ઞાન આ જ પીપળાની નીચે આપ્યું હોવાની માન્યતા પ્રચલિત છે

 શ્રીમદ્ ભાગવતનું તો શ્રવણ માત્ર જીવ માત્રને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. ત્યારે પ્રાચીમાં તો એ પીપળો વિદ્યમાન છે કે જેને સ્વયં શ્રીકૃષ્ણના મુખે ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત થયું. અને એટલે જ તો તે સવિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. પ્રાચી એ મૂળે તો શ્રાદ્ધકર્મ માટેની ભૂમિ છે. અહીં 84 પ્રકારના શ્રાદ્ધકર્મ થાય છે. પણ, દરેક શ્રાદ્ધકર્મ પૂર્વે સર્વ પ્રથમ પીપળા પાસે જ સંકલ્પ લેવામાં આવે છે.

  પ્રાચીમાં આવનારા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મોક્ષ પીપળા પાસે સંકલ્પ લે છે. તેને જળ અર્પણ કરે છે. અને પિતૃઓની મુક્તિ અર્થે પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, અહીં તો કહેવત પ્રચલીત છે કે “જે જમાડશે તે રમાડશે !” અર્થાત્. અહીં શ્રાદ્ધકર્મ કરાવવાથી દંપત્તિની સંતાનની કામના પણ પરિપૂર્ણ થઈ જાય છે. એટલે કે ભક્તોના સર્વ મનોરથોને સિદ્ધ કરનારો છે પ્રાચીનો મોક્ષ પીપળો.









To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Saturday, 19 October 2024

આઈશ્રી ખોડિયાર માતા મંદિર-ગળધરા

 સંતો અને શૂરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયાં. તેમાં આઈશ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે. ખોડિયાર માતાના ભકતો દેશ-વિદેશમાં ઠેર-ઠેર પથરાયેલા છે. માતાજી તેમના ભકતોની વહારે હજરાહજુર રહેતાં હોઇ તેમનામાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. ખોડિયાર માતાનાં અનેક જગ્યાએ મંદિરો આવેલાં છે પણ અમરેલી જીલ્લાના ધારીગામ પાસે ગળધરા માં ખોડિયારમાનું અત્યંત વિખ્યાત મંદિર છે. તો ચાલો જાણીયે આ મંદિર ના ઇતિહાસ વિષે.

સૌરાષ્‍ટ્રનાં ખોડિયાર માતાજીના મુખ્‍ય ચાર મંદિરો પૈકીનું ગળધરા એક છે. આ મંદિર અમરેલી જીલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે.

એક લોક વાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ હતો તેનો સંહાર કરીને સાતેય બહેનોએ તેને ખાંડણીયામાં ખાંડી નાખ્યો. ત્યાર બાદ ખોડીયાર માતાએ પોતાનો મનુષ્યદેહ એ ધરામાં ગાળી નાખ્યું. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો તેથી તે ગળધરા કહેવાયું. ત્યાં સ્વયંભું ગળું અહીં બીરાજમાન છે. માઁના મસ્તકની પૂજા થાય છે. મંદિરના ઘણા સંતો – મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન દીધા છે. ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડીયાર માતાના દેહવિલય બાદ એ ગળધરો જ કહેવાય છે.

નવઘણનેે માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતાં. નવઘણ (ઇ.સ. ૧૦૨૫) ખોડીયાર માઁની માનતાથી આવેલો પુત્ર હતો. રા’દયાસને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઇ ત્યારે તેના પટરાણી સોમલદેવે આઇ ખોડીયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી. અને સોઢી રાણીની શ્રદ્ધા ફળી અને માઁ ખોડીયારની કૃપાથી નવઘણનો જન્મ થયો. આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પુજવાનુ શરૂ કર્યુ હતું. રા’નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો.

કહેવાય છે કે જયારે રા’નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ(જાહલ)ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ઘુનાથી થોડે દુર છે. આમ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગળધરામાં આવેલું છે.

આ શિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે. અમરેલી જીલ્‍લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે.

ખોડિયાર મંદિર એ ઉપરની સપાટીએ આવેલું છે અને નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે. ડેમનો ધોધ એટલો આહલાદ્ક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ. અને તેમાં પણ આવા ભર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણીની ભુલભુલૈયામાં ખોવાઈ જવાનું મન થાય. ધારીના લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ કરે છે. ખોડીયાર મંદિરની બાજુમાં હિંગળાજ માતાનું પણ મંદિર આવેલું છે જે 2 કીમી. દૂર છે. ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપૂર નજારો જોવા મળે છે.

દિવાળી અને નવા વર્ષના દિવસે ખોડિયાર ડેમ પર માનવ મહેરામણ દર્શન કરવા અલગ-અલગ જગ્યાએથી પહોંચી જાય છે. અહીં મેળાઓ પણ યોજાય છે. નાસ્તા અને જમવાનું સેન્ટર પણ છે. આજુબાજુના ગામના લોકો રજાના દિવસે અહીંયા ભોજન કરવા પણ આવે છે. અહીં પહોંચવા માટે ધારી થી પાકા ડામર માર્ગે એસ.ટી. બસ અથવા પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે. જેનો રસ્તો ખોડિયાર ડેમનાં બંધ ઉપરથી પસાર થાય છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Friday, 18 October 2024

જાણો મોઢેરા સૂર્યમંદિર વિશે, જે ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે

 સૂર્ય મંદિર – મોઢેરા

મોઢેરા સૂર્ય મંદિર પાટણથી ૩૦ કિમી, મહેસાણાથી ૨૫ કિમી અને અમદાવાદથી ૧૦૬ કિમીના અંતરે પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે

કોણાર્કના સૂર્યમંદિર પછીનું સૌથી પ્રખ્યાત મોઢેરાનું સૂર્યમંદિર, એ ગુજરાતનાં અન્ય મંદિરો કરતાં શિલ્પ સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. 

ઇ.૧૧ મી સદીમાં નિર્માણ કરાયેલું મોઢેરા સ્થિત આ મંદિર પાટણ શહેરથી ૩૦ કિ.મી.દૂર મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકામાં રુપેણ નદી સાથે મળતી પુષ્પાવતી નદીનાં ડાબા કાંઠે આવેલું છે.



સોલંકી રાજા ભીમદેવ-૧(૧૦૨૨-૧૦૬૩ ઇ.) ના શાસનકાળ દરમ્યાન આ મંદિર પૂર્વાભિમુખ,ઉત્કૃષ્ટ જગતી પર બનાવેલું છે. 

સ્કન્ધ પુરાણમાં આ સ્થળનો ઉલ્લેખ ‘ભાસ્કરક્ષેત્ર’ નાં નામથી દર્શાવેલ છે. મંદિર સંકુલ એ ત્રણ અલગ વિભાગોનું મિશ્રણ છે. એટલે કે પ્રદક્ષિણા સાથેનું ગર્ભ-ગૃહ. ગર્ભમંડપ અને તોરણદ્વાર સાથેનો સભામંડપ અથવા નૃત્યમંડપ.

તોરણની સામે ૧૭૫'X૧૨૦' ફુટનો એક વિશાળ લંબચોરસ ફૂંડ, ઘણી સંખ્યાનાં લઘુમંદિરોથી સુશોભિત છે. જે સ્થાનિક લોકો માં ‘રામકૂંડ’ ના નામથી પ્રચલીત છે. કૂંડમાંઉતરવા માટે ચારેબાજુમાં પગથીયા બનેલાં છે. હૂંડમાં લગભગ ૧૦૮ નાનાં મંદિરો છે. જે અલગ અલગ દેવી-દેવતાઓ જેવાં કે ગણેશ, શેષશાયી વિષ્ણુ, નટરાજ તેમજ શીતળા માતાની મૂર્તિઓથી સુશોભિત છે.

ગર્ભગૃહનું નિર્માણ શણગારાત્મક તોરણ કમાનવાળા સુંદર

લાલિત્યસભર ઊંચા સ્તંભોથી કરાયેલું છે. ગર્ભગૃહની બહારની દિવાલો, બારીઓમાં દર્શાવેલા બાર સૂર્યો, આઠ દ્વારપાળોની હારબંધ મૂર્તિઓ, ગૌરીનાં વિવિધ સ્વરુપો, નૃત્ય કરતી અપ્સરાઓ, સંગીતકારો વિગેરે વિશિષ્ટતાથી છવાયેલી છે.

સ્થંભોવાળા અષ્ટકોણીય સભામંડપમાં પ્રવેશ કમાનો છે. જે ચારેબાજુથી સ્થંભોના ઉપરનાં ભાગ પર શિલ્પકૃતિઓ કોતરાયેલી છે. બહારની દિવાલો પર દેવતાઓનાં વિવિધ સ્વરુપોને ઉત્કૃષ્ટ રીતે કોતરવામાં આવેલાં છે. ત્યાં અંદરની દિવાલો પર રામાયણ અને મહાભારાતમાં દર્શાવેલી ઘટનાઓનું નિરુપણ કરેલ છે.

સભામંડપની સામે ગૂઢમંડપ અને ગર્ભગૃહ છે. જયાં ભગવાન સૂર્યની બાર મૂર્તિઓ કોતરેલી છે. ગૂઢમંડપ અને ગર્ભગૃહની મધ્યમાં અંતરાલ છે. ગર્ભગૃહમાં કોઇ મૂર્તિ નથી. બ્રહ્માં, શેષશાયી વિષ્ણુ, વિષ્ણુનાં અલગ અલગ અવતાર જેવાંકે વરાહ, ત્રિવિક્રમ,નરસિંહ શીવાય, ઉમા-મહેશ્વર,નૃત્ય કરતા ગણેશ તથા દુર્ગાની મૂર્તિઓ કોતરાયેલી છે. 

મંદિરની બાહર દિવાલો પર વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ સીવાય મુખ્ય દિશાઓમાં આઠ દ્વારપાળોની મૂર્તિઓ નૃત્ય કરતી અપ્સરાઓ, વાંજિત્રો વગાડતા વાધકારો તથા ગાંધવોની મૂર્તિઓનાં શિલ્પો છે.

👉કુંડ

જેને રામકુંડ અથવા સૂર્યકુંડ પણ કહેવાય છે, તે લંબચોરસીય છે. તેનું માપ ઉત્તરથી દક્ષિણ દિશામાં ૧૭૬ ફૂટનું અને પૂર્વથી પશ્ચિમમાં ૧૨૦ ફૂટનું છે. તેની પર ઘણી બધી દેરીઓ આવેલી છે અને પશ્ચિમ બાજુમાં એક મધ્યમ રીતે સુશોભિત વાવ પણ છે.અહીંના બે સ્તંભો સૂચવે છે કે કોઈક સમયે કિર્તીતોરણ પણ હતું.

👉ગૂઢમંડપ

ગૂઢમંડપ ૫૧ ફૂટ ૯ ઇંચ બાય ૨૫ ફૂટ ૮ ઇંચનું માપ ધરાવે છે અને તે સમાન રીતે મંડપ અને ગર્ભગૃહ એમ બે ભાગમાં વિભાજીત થયેલું છે. બંને લંબચોરસ આકારના છે. ગર્ભગૃહ અંદરથી ૧૧ ફૂટનો ચોરસ છે અને તેની બહારની દિવાલ તથા ગૂઢમંડપની અંદરની દિવાલ વડે પ્રદક્ષિણામાર્ગનું નિર્માણ થાય છે. શિખર અત્યારે અસ્તિત્વમાં નથી અને ગભારાનું નિર્માણ એ રીતે થયું છે કે સૂર્યસંપાત (એ દિવસ કે જ્યારે દિવસ અને રાત બંને સરખા હોય) વખતે તે સૂર્યના પ્રથમ કિરણો સૂર્યની પ્રતિમા પર પડે અને દક્ષિણાયન (વર્ષનો લાંબામાં લાંબો દિવસ) વખતે ભરબપોરે સૂર્ય બરાબર માથા પર હોય અને ગૂઢમંડપનો કોઈ પડછાયો જમીન પર ન પડે.

👉સભામંડપ

સભામંડપ કે રંગમંડપ ચતુષ્કોણીય બાંધકામ ધરાવે છે કે જેમાં દરેક વિકર્ણના બિંદુ પરથી પ્રવેશદ્વાર પણ આપેલો છે. સભામંડપમાં કુલ ૫૨ કંડારેલા સ્તંભો છે.

(માહિતી સ્ત્રોતઃ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તથા વિકિપીડિયા


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Monday, 7 October 2024

બહુચર માતા મંદિર બહુચરાજી મહેસાણા જિલ્લા ગુજરાત

પવિત્ર ૫૧ શક્તિ પીઠ મા બહુચર માતાજી મંદિર નો સમાવેશ થાય છે.

બહુચરાજી અથવા બેચરાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં આવેલુ શ્રી બહુચરાજી માતાનુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે.

અત્યંત પવિત્ર ગણાતી 51 શક્તિપીઠમાં બહુચર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે

ધાર્મિક માહાત્મ્યઃ 

હિન્દુ ધર્મમાં માતાજીની પૂજા માટે અત્યંત પવિત્ર ગણાતી 51 શક્તિપીઠમાં બહુચર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે. મા સતીના શરીરના ટુકડા કરીને પૃથ્વી પર વિસર્જિત કરાયા ત્યારે બેચરાજી ખાતે મંદિરના સ્થળે માં સતીના હાથ (કર) પડ્યા હોવાનું મનાય છે.

 ઐતિહાસિક માહાત્મ્યઃ ભગવાન મહાદેવજીનાં પત્ની જ્યારે દક્ષ પ્રજાપતિના કુંડમાં કૂદી પડ્યાં અને તેમણે દેહત્યાગ કર્યો ત્યારે તાંડવ કરી રહેલા શિવજીને શાંત કરવા ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે સતી માતાના પાર્થિવ દેહના 55 ટુકડા કર્યા અને પૃથ્વી પર તેને વિસર્જિત કર્યા.

 આમાંથી સતી માતાના કર (હાથ) બેચરાજીમાં પડ્યા અને અહીં બહુચર માતાજીનું મંદિર બન્યું. વ્યંડળોના આરાધ્ય દેવી ગણાતા બહુચર માતાનું મૂળ મંદિર ઈ.સ. 1783માં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાયું હતું. જેમાં માનાજીરાવ ગાયકવાડે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમુક લોકોની માન્યતા છે કે તેમણે ઈ.સ. 1839માં આ મંદિર બંધાવ્યું હતું.

બહુચર માતાજીને કૂકડાની સવારી કરતા દર્શાવાયા છે, જે સોલંકી શાસકોનું રાજચિહ્ન હતું. જેમનું એક સમયે ગર્જરધરા પર એકચક્રી શાસન હતું. મંદિર સંકુલમાં મુખ્ય 3 મંદિર છે. પહેલું છે આદ્યસ્થાન, બીજું છે મધ્યસ્થાન અને ત્રીજું સ્થાન એ છે જ્યાં હાલનું મુખ્ય મંદિર આવેલું છે જેની પર બાળ યંત્ર જડેલું છે.

આ મંદિર ઉત્તર ગુજરાતમાં આરાસૂરી અંબાજી માતા જેટલું જ મહત્ત્વ ધરાવે છે. અમુક લોકોનું માનવું છે કે બહુચર માતાનું અસલ મંદિર શંખલપુરમાં છે, જે આ મંદિરથી 3 કિમીના અંતરે છે. આ કારણે તેઓ બહુચરાજી જાય ત્યારે શંખલપુર બહુચરાજીના દર્શને પણ અવશ્ય જાય છે.






To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Monday, 30 September 2024

અમદાવાદમાં ચકલેશ્વર મહાદેવનું 450 વર્ષ જૂનું શિવાલય, મીરાબાઈએ મંદિરમાં રોકાણ કર્યાની વાયકા

ચકલેશ્વર મહાદેવ મંદિર રાયપુર  દરવાજા ખાડિયા અમદાવાદ ગુજરાત

અમદાવાદમાં ચકલેશ્વર મહાદેવનું 450 વર્ષ જૂનું શિવાલય, મીરાબાઈએ મંદિરમાં રોકાણ કર્યાની વાયકા

અમદાવાદની મધ્યમાં આવેલા ખાડિયા વિસ્તારમાં રાયપુર દરવાજા પાસે ચકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, શિવાલય આશરે 450 વર્ષ જુનું છે.

  ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. દરેક મંદિરનુ અલગ અલગ મહાત્મય હોય છે અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ખાડિયા વિસ્તારમાં ચકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે સાડા ચારસો વર્ષ જૂનુ છે. મહાદેવના મંદિરનો ત્રણ વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. અમદાવાદની મધ્યમાં આવેલા ખાડિયા વિસ્તારમાં રાયપુર દરવાજા પાસે ચકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શિવાલય આશરે 450 વર્ષ જુનું છે. તેની સ્થાપના પેશ્વાકાળમાં કરવામાં આવી હતી. પેહલા નાની દેરી બનાવવામાં આવી હતી બાદમાં બીજીવાર કાચનું મંદિર બનાવવામાં આવ્યું હતુ અને 70 વર્ષ પહેલા ત્રીજીવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ચકલેશ્વર મહાદેવ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જેનો ત્રણ વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.

પેશ્વાકાળમાં બનાવવામાં આવેલા આ મંદિરનો દેરીની રૂપમાંથી સ્થાનિક લોકોએ ત્રીજીવાર જીર્ણોદ્ધાર કર્યો ત્યારે મંદિરને મોટુ બનાવ્યું. ભારતી આશ્રમના અવન્તિકા ભારતી બાપુની પ્રેરણા અને આશીર્વાદથી ભાણાભાઈ ત્રિવેદીએ ટ્રસ્ટી મંડળ સાથે મળી ગિરનારની પ્રતિકૃતિ જેવુ કલાત્મક મંદિર બનાવ્યુ.ચકલેશ્વર મહાદેવ મંદિરની બહારની બાજુએ એક તરફ ગણેશ ગજાનંદ બિરાજમાન છે જ્યારે બીજી તરફ હનુમાન દાદા બિરાજમાન છે. મંદિરમાં પ્રભુના શિવલિંગની પાસે એક તરફ ગણેશજી છે અને બીજી તરફ શિવ પરિવાર બિરાજમાન છે વારે તહેવારે મંદિરે અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે જેમાં સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવે છે અને દેશના નામી સંગીતકારો વિના મુલ્યે લોકોને સંગીત પીરસીને પોતે પણ મહાદેવની ભક્તિ કર્યાનો અહેસાસ કરે છે.

સુંદરકાંડની ઉપાસનાનું પણ આયોજન કરાય છે.

ચકલેશ્વર મહાદેવ મંદિરમા શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દ્વારા દૂધ,જળ, કળા તલ, બિલિપત્ર ચડાવવામાં આવે છે. ચકલેશ્વર મહાદેવ મંદિરમાં અખંડ જ્યોત આવેલી છે. એ જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભકતો મંદિરે આવે છે. ચકલેશ્વર શિવાલયમાં શિવરાત્રીએ ભગવાનને સુંદર શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. બાળપણથી નિયમિત મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો શહેરમાં બીજે સ્થળાંતર થયા બાદ વારે તહેવારે ચકલેશ્વર મહાદેવના દર્શન કરવા અચૂક આવે જ છે. શ્રાવણ માસ દરમિયાન અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ જામે છે મંદિરમાં લઘુરુદ્ર તથા મહારુદ્રનું આયોજન કરવામાં આવે છે સંગીતમય સુંદરકાંડની ઉપાસનાનું પણ આયોજન કરવામાં આવે છે અને આનંદના ગરબા તથા ભજનનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે. જેનો દરેક દર્શનાર્થી લાભ લઈ ધન્ય થાય છે.




આ પણ વાંચો: અમિત ચાવડાનો મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર, વિધાનસભા સત્ર બોલાવવા કરી માગ.

ૐ નમઃ શિવાયની અખંડ ધૂન

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મંદિરે આવતા દરેક શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે બટાકાની સુકી ભાજી, મોરૈયાની ખીચડી, કઢી અને શીરો આપવામાં આવે છે. સાથે ગીત-સંગીત સંધ્યાનો પ્રોગ્રામ અને ૐ નમઃ શિવાયની અખંડ ધૂનનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે. હાલ જ્યાં મહાદેવનુ મંદિર છે તે જગ્યા પેશ્વાકાળમાં સાબરમતીના તટ પર હતી અને મીરાબાઈએ પણ આ મંદિરે રાત્રી રોકાણ કરી ભજન કર્યાની લોકવાયકા છે. છેલ્લા 100 વર્ષથી ચકલેશ્વર મહાદેવની નગરયાત્રા નિજ મંદિરેથી નીકળે છે. જે મદન ગોપાલ, માણેકચોક, ફુવારા, ગાંધીરોડ, બાલા હનુમાન, ખાડિયા ચાર રસ્તા, ખાડિયા જૂના ગેટ થઈ રાયપુર નિજ મંદિર પરત ફરે છે. આ નગરયાત્રામાં વેપારીઓ શ્રી શંકર ભગવાનની આરતી ઉતારી, ફૂલહાર ચડાવીને દર્શનનો લાભ અને પ્રસાદ લેય છે. શહેરીજનો વર્ષોથી ચકલેશ્વર મહાદેવના દર્શને નિયમિત આવે છે તો યુવાપેઢી પણ મહાદેવના દર્શને આવી ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખે છે. ચકલેશ્વર મહાદેવનું શિવાલય અમદાવાદના રાયપુર વિસ્તારમાં સ્થિત છે. કહેવાય છે કે, શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. ભક્તો ભોળાનાથને જળ, દૂધ, ફુલ અને બીલીપત્ર ચઢાવીને પૂજા કરે છે. સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો નિરતંર જાપ કરી આધિ, વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મેળવે છે.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Saturday, 28 September 2024

જગન્નાથ મંદિર શું છે રહસ્ય -ભગવાન શ્રી કૃષ્ણ નું હૃદય આજે પણ ધબકે છે- સૌથી મોટા માં મોટી રથ યાત્રા- જેવા ઘણા બધા રોચક રહશ્યો વિશે જાણો

 જગન્નાથ મંદિરનું શું છે રહશ્ય

જગન્નાથ મંદિરનું રહસ્યઃ હિંદુ ધર્મ અનુસાર ચાર ધામો બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પુરી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર ધામ પર સ્થાયી થયા હતા, ત્યારે તેઓ પહેલા બદ્રીનાથ ગયા હતા અને ત્યાં સ્નાન કર્યું હતું, ત્યારબાદ તેઓ ગુજરાતના દ્વારકા ગયા હતા અને ત્યાં કપડાં બદલ્યા હતા. દ્વારકા પછી, તેમણે ઓડિશાના પુરીમાં બપોરનું ભોજન લીધું અને છેલ્લે તામિલનાડુના રામેશ્વરમ ખાતે આરામ કર્યો. પુરીમાં ભગવાન શ્રી જગન્નાથનું મંદિર છે.

પુરીના આ મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિઓ છે. લાકડાના શિલ્પો સાથેનું આ દેશનું અનોખું મંદિર છે. જગન્નાથ મંદિરની આવી ઘણી વિશેષતાઓ છે, સાથે જ મંદિર સાથે જોડાયેલી એવી ઘણી વાર્તાઓ છે જે સદીઓથી રહસ્ય બનીને રહી છે.

જગન્નાથ મંદિર સાથે જોડાયેલી એવી માન્યતા છે કે જ્યારે ભગવાન કૃષ્ણે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે શરીરના એક ભાગ સિવાય તેમનું આખું શરીર પંચતત્વમાં ભળી ગયું હતું. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણનું હૃદય જીવંત માનવીની જેમ ધડકતું હતું. એવું કહેવાય છે કે તે હૃદય હજી પણ સુરક્ષિત છે અને ભગવાન જગન્નાથની લાકડાની મૂર્તિની અંદર છે.

દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે.

જગન્નાથ પુરી મંદિરની ત્રણેય મૂર્તિઓ દર 12 વર્ષે બદલવામાં આવે છે. જૂની મૂર્તિઓની જગ્યાએ નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિ બદલવાની આ પ્રક્રિયા સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો પણ છે. જ્યારે મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે સમગ્ર શહેરમાં વીજળી ડુલ થઈ જાય છે. જગન્નાથ મંદિર ની આસપાસ સંપૂર્ણ અંધારું છે. મંદિરની બહાર CRPF સુરક્ષા તૈનાત છે. મંદિરમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે. મંદિરમાં ફક્ત તે જ પૂજારીઓને પ્રવેશ આપવામાં આવે છે જેમણે મૂર્તિઓ બદલવાની હોય છે.

પૂજારીની આંખો પર પણ પટ્ટી બાંધેલી છે. હાથમાં મોજા પહેરવામાં આવે છે. આ પછી મૂર્તિઓ બદલવાની પ્રક્રિયા શરૂ થાય છે. જૂની મૂર્તિઓ નવી મૂર્તિઓ દ્વારા બદલવામાં આવે છે, પરંતુ એક વસ્તુ છે જે ક્યારેય બદલાતી નથી, તે છે બ્રહ્મ પદાર્થ. જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં લગાવવામાં આવે છે.

ભગવાન કૃષ્ણનું હૃદય આજે પણ ધબકે છે

પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ લાકડાની છે. માન્યતા અનુસાર, જ્યારે ભગવાન કૃષ્ણએ તેમનો દેહ છોડ્યો ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણનું બાકીનું શરીર પંચતત્ત્વમાં ભળી ગયું પરંતુ તેમનું હૃદય સામાન્ય અને જીવંત રહ્યું. એવું કહેવાય છે કે આ હૃદય હજી પણ સુરક્ષિત છે અને તે ભગવાન જગન્નાથની મૂર્તિમાં ધબકે છે.

સિંહ દ્વારનું રહસ્ય

જગન્નાથ પુરી મંદિર સમુદ્ર કિનારે આવેલું છે. મંદિરમાં સિંહ દ્વાર છે. કહેવાય છે કે જ્યાં સુધી સિંહના દરવાજાની અંદર પગ ન મૂકે ત્યાં સુધી સમુદ્રના મોજાનો અવાજ સંભળાય છે, પરંતુ સિંહના દરવાજાની અંદર પગ મૂકતા જ મોજાનો અવાજ ગાયબ થઈ જાય છે. એ જ રીતે સિંહદ્વારથી નીકળતી વખતે પહેલું પગથિયું બહાર આવે કે તરત જ સમુદ્રના મોજાનો અવાજ ફરી આવવા લાગે છે.

એવું પણ કહેવાય છે કે સિંહના દરવાજામાં પગ મૂકતા પહેલા નજીકમાં સળગતી ચિતાની ગંધ પણ આવે છે, પરંતુ સિંહના દરવાજાની અંદર પગ મૂકતાની સાથે જ આ ગંધ પણ ખતમ થઈ જાય છે. સિંહદ્વારના આ રહસ્યો પણ અત્યાર સુધી રહસ્ય જ રહ્યા છે.

ભગવાન જગન્નાથના મંદિરના ધ્વજનું રહસ્ય

જગન્નાથ મંદિર લગભગ ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. તેની ઉંચાઈ 214 ફૂટ છે. સામાન્ય રીતે કોઈ પણ ઈમારત કે વસ્તુ કે મનુષ્યનો પડછાયો દિવસના અમુક સમયે જમીન પર દેખાય છે, પરંતુ જગન્નાથ મંદિરનો પડછાયો ક્યારેય કોઈએ જોયો નથી. આ સિવાય મંદિરની ટોચ પર સ્થાપિત ધ્વજને લઈને પણ એક મોટું રહસ્ય છે. આ ધ્વજને રોજ બદલવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ દિવસ ધ્વજ બદલવામાં નહીં આવે તો કદાચ આગામી 18 વર્ષ સુધી જગન્નાથ મંદિર બંધ થઈ જશે. આ સિવાય આ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ઉડે છે.

મંદિરની ટોચ પર સુદર્શન ચક્ર પણ છે. કહેવાય છે કે જો આ સુદર્શન ચક્ર પુરીના કોઈપણ ખૂણેથી જોવામાં આવે તો તેનું મુખ તમારી તરફ દેખાય છે.

રસોડા વિશે ખાસ વાત

કહેવાય છે કે જગન્નાથ મંદિરમાં દુનિયાનું સૌથી મોટું રસોડું છે. આ રસોડામાં 500 રસોઈયા અને 300 તેમના સહયોગી કામ કરે છે. આ રસોડા સાથે જોડાયેલ એક રહસ્ય એ છે કે અહીં લાખો ભક્તો આવે તો પણ પ્રસાદની ક્યારેય કમી નથી આવતી. પરંતુ જગન્નાથ મંદિરનો દરવાજો બંધ થવાનો સમય આવતા જ પ્રસાદ આપોઆપ ખતમ થઈ જાય છે. એટલે કે અહીંનો પ્રસાદ ક્યારેય વેડફતો નથી.

આ સિવાય જગન્નાથ મંદિરમાં ચડાવવામાં આવતો પ્રસાદ લાકડાના ચૂલા પર બનાવવામાં આવે છે. આ પ્રસાદ સાત વાસણોમાં બનાવવામાં આવે છે. સાત વાસણો એક પછી એક મૂકવામાં આવે છે. એટલે કે સાતેય વાસણો ચૂલા પર સીડીની જેમ રાખવામાં આવે છે. સૌથી નવાઈની વાત એ છે કે જે વાસણ સૌથી ઉપર હોય છે એટલે કે સાતમા નંબરના વાસણને સૌથી પહેલા પ્રસાદ બનાવીને તૈયાર કરવામાં આવે છે. આ પછી છઠ્ઠા, પાંચમા, ચોથા, ત્રીજા, બીજા અને પહેલા એટલે કે નીચેનો વાસણનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.

પુજારી આંખે પાટા બાંધીને મૂર્તિઓ બદલી નાખે છે

ભગવાન જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની મૂર્તિઓ બદલવામાં આવે છે. આ મૂર્તિઓ બદલતી વખતે અંધારું થઈ જાય છે. મંદિરમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. મૂર્તિ બદલતી વખતે પૂજારી આંખે પાટા બાંધે છે.

શું છે બ્રહ્મ પદાર્થ?

આ બ્રહ્મ પદાર્થ શું છે તેની આજ સુધી કોઈને કોઈ માહિતી નથી. મૂર્તિ બદલનાર પૂજારીઓ પાસેથી માત્ર થોડીક વાર્તાઓ સાંભળવામાં આવી છે. આ બ્રહ્મ પદાર્થ દર 12 વર્ષે જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં બદલવામાં આવે છે, પરંતુ મૂર્તિ બદલનાર પૂજારીને પણ ખબર નથી કે તે શું છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ આ બ્રહ્મ પદાર્થને જુએ છે, તો તે મૃત્યુ પામે છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ આ પદાર્થને જુએ તો વ્યક્તિના શરીરના ચીંથરા ઉડી જાય છે.

એક ટુચકો એ છે કે આ બ્રહ્મ પદાર્થ હંમેશા શ્રી કૃષ્ણ સાથે જોડાઈને દેખાય છે. મૂર્તિ બદલનારા કેટલાક પૂજારીઓએ જણાવ્યું છે કે જ્યારે જૂની મૂર્તિમાંથી બ્રહ્મા પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે, ત્યારે તેને હાથ વડે કરવામાં આવે છે, તે સમયે એવું લાગે છે કે હાથમાં કંઈક કૂદતું હોય છે, જેમ કે સસલું છે. જમ્પિંગ, કોઈ એવી વસ્તુ છે જેમાં જીવન છે. કારણ કે હાથમાં મોજાં છે, તેથી તે પદાર્થ વિશે ઘણું ભાન નથી. એટલે કે, બ્રહ્મ પદાર્થ જીવંત પદાર્થ હોવાની વાર્તાઓ ચોક્કસપણે છે, પરંતુ તેની વાસ્તવિકતા શું છે તે કોઈ જાણતું નથી.

મંદિર ઉપર પક્ષીઓ ઉડતા નથી

ભગવાન જગન્નાથના મંદિરના ઘુમ્મટ પર ક્યારેય કોઈ પક્ષી બેઠેલું જોવા મળ્યું નથી. આ મંદિર ઉપરથી વિમાનોને પણ ઉડવાની મંજૂરી નથી.

જગન્નાથ મંદિરનો પુરાતત્વીય ઇતિહાસ

આ જગન્નાથ મંદિરનો સૌપ્રથમ જીર્ણોદ્ધાર 10મી સદીમાં કલિંગના ગંગા સામ્રાજ્યના રાજા અનંતવર્મન ચોડાગંગા દેવ દ્વારા કરવામાં આવ્યો હતો. શોધેલી તાંબાની પ્લેટો પરથી જાણવા મળે છે કે મંદિરના જગમોહન અને વિમાનના ભાગો રાજા અનંતવર્મન ચોડાગંગા દેવના શાસન દરમિયાન બાંધવામાં આવ્યા હતા. તેમના પછી અનંગ ભીમદેવે આ મંદિરને આજનું સ્વરૂપ આપ્યું.

400 વર્ષ સુધી મંદિરમાં સતત પૂજા થતી રહી, પરંતુ વર્ષ 1558માં અફઘાન સેનાપતિ કાલા પહરે ઓરિસ્સા પર હુમલો કરીને તેને કબજે કરી લીધો. આ દરમિયાન મંદિરને પણ નુકસાન પહોંચ્યું હતું અને પૂજા પણ રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન, મૂર્તિઓને આક્રમણકારોથી બચાવવા માટે, તેને ચિલિકા તળાવમાં સ્થિત એક ટાપુમાં રાખવામાં આવી હતી. રામચંદ્ર દેબ દ્વારા રાજ્યની આઝાદી પછી, મૂર્તિઓને ફરીથી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.

જગન્નાથ પુરીનું આ મંદિર ત્રણ વખત તૂટી ગયું છે અને ત્રણ વખત તેનો જીર્ણોદ્ધાર કરીને મૂર્તિઓની પુનઃ સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરની આસપાસ કુલ 30 નાના મંદિરો સ્થાપિત છે.

ભગવાન જગન્નાથ કથા

જગન્નાથ મંદિરની ઘણી વાર્તાઓ પ્રચલિત છે. પરંતુ સૌથી પ્રચલિત વાર્તા એ છે કે એકવાર માતા યશોદા, દેવકી, સુભદ્રા અને બધી રાણીઓ દ્વારકાથી વૃંદાવન આવી. માતા યશોદાએ સુભદ્રાને આદેશ આપ્યો કે જ્યાં સુધી તે કૃષ્ણના બાળકોના મનોરંજનનું વર્ણન કરતી રહેશે ત્યાં સુધી તમે દરવાજાની રક્ષા કરશો જેથી કૃષ્ણ અને બલરામ અંદર પ્રવેશી ન શકે. માતા યશોદાએ કૃષ્ણના વિનોદની ગાથા શરૂ કરી અને જેમ જેમ તે બોલતી ગઈ તેમ તેમ બધા તેના શબ્દોમાં મગ્ન થઈ ગયા. સુભદ્રા પણ દરવાજાના ચોકીદારને ભૂલી ગઈ અને વાર્તાઓ સાંભળવા લાગી.

ત્યારે અચાનક કૃષ્ણ અને બલરામ ઓરડામાં પ્રવેશ્યા. મંત્રમુગ્ધ સુભદ્રાએ બંને ભાઈઓ પર ધ્યાન આપ્યું નહિ. કૃષ્ણ અને બલરામ પણ વાર્તાઓ સાંભળવા લાગ્યા. જેમ જેમ તે વાર્તા સાંભળતો ગયો તેમ તેમ તેની આંખો આશ્ચર્યથી મોટી થતી ગઈ. પછી નારદજી નાટકીય રીતે આવ્યા. નારદજીએ બધાના હાવભાવ જોવા માંડ્યા હતા કે બધાને ખબર પડી ગઈ કે કોઈ આવ્યું છે. જેના કારણે અહીં કૃષ્ણલીલાનું પઠન અટકી ગયું. કૃષ્ણજીનો એ મનમોહક અવતાર જોઈને નારદજીએ કહ્યું, “વાહ ભગવાન, તમે બહુ સુંદર દેખાઈ રહ્યા છો. તમે આ રૂપમાં ક્યારે અવતાર લેશો?” તે સમયે કૃષ્ણજીએ કહ્યું કે તેઓ કલિયુગમાં આવો અવતાર લેશે.

કૃષ્ણે આપેલા વચન મુજબ ભગવાન રાજા ઇન્દ્રદ્યુમ્નના સ્વપ્નમાં આવ્યા અને મંદિર બનાવવાનો આદેશ આપ્યો. તેણે રાજાને કહ્યું કે જેમ ભગવાને સ્વપ્નમાં આવીને આ દેવતા બનાવવાની વાત કરી હતી, તેવી જ રીતે તેને અધૂરી રાખવા માટે દરવાજો ખોલવામાં આવ્યો હતો. રાજાએ તે અધૂરી મૂર્તિઓ મંદિરમાં સ્થાપિત કરાવી. આ જ કારણ છે કે જગન્નાથ પુરીના મંદિરમાં પથ્થર કે અન્ય ધાતુની મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી, પરંતુ ઝાડના થડનો ઉપયોગ કરીને બનાવેલી મૂર્તિની પૂજા કરવામાં આવે છે.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

ડાકોર અને શ્રી કૃષ્ણ રણછોડરાય પ્રભુ અને ભક્ત બોડાણા વિશે જાણો

 દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમા પશુ પંખી ર્નિભિક પણે પાણી પીતા હતા.

એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડ માથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુન્દર જળ નો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ ૯૯૯ વિઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતી ના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતીકુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું.

ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર છ માસે પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ, ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણો ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમર ના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણા બીજી વખત સાથે ખખડધજ ગાડું લઇને દ્વારકા આવ્યો. પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાનાં પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યુ કે હવે તું ગાડાં માં આરામ કર હું ગાડું ચલાવીશ. ફ્ક્ત એક રાત મા ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા, સવાર મા બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડી બોડાણાને જગાડ્યો ને ગાડું ચલાવવા કહ્યુ. ભગવાન ના સ્પર્શથી લીમડા ની એક ડાળ મીઠી થઇ ગઇ. ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મુર્તી ગોમતી મા પધારવી દીઘી અને જાતે ગુગળીઓને મળવા ગયા. ગુગળીઓએ ગુસ્સામા આવી બોડાણા પર ભાલા થી પ્રહાર કર્યો જેના કારણે બોડાણાનું મ્રુત્યુ થયુ ને ગોમતી મા મુર્તિ હતી ત્યાં પાણી લોહી થી લાલ થયુ. દ્વારકાનાં પુજારીઓએ એક યુક્તિ આજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.

બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મુકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.

અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયનાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ ત્યારે તેઓ મથુરા વાસીઓનાં રક્ષણ માટે તેમને સાથે લઇને રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે....



#જય #રણછોડ....


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Wednesday, 25 September 2024

આણંદ ના લાંભવેલ ખાતે આવેલું આ સ્વયંભૂ હનુમાન મંદિર

અદ્ભત છે આણંદ ખાતે આવેલું આ સ્વયંભૂ હનુમાન મંદિર આવો જાણીયે આ મંદિર ને મારી કલમે...વિપુલ પ્રજાપતિ ..માહિતી સંકલન સોશિયલ્ મીડીયા...

આણંદ શહેરની ઉત્તરે અને લાંભવેલ ગામની દક્ષિણે તેમજ બાકરોલ અને વિદ્યાનગરના પૂર્વમાં આવેલું લાંભવેલ હનુમાનજીનું મંદિર ખૂબ જ જૂનું અને પુરાતન યાત્રાધામ તરીકે ઓળખાતું છે. આ મંદિર લાંભવેલ ગામથી એક કિલોમીટર અને આણંદ શહેરથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સાક્ષાત્કાર  અને સ્વયંભૂ છે.

   આ મંદિરની એક વખત અચૂક મુલાકાત કરવા જેવી છે. આ મંદિરમાં 16મી સદીની સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. હનુમાનજીની આજુબાજુ પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણની મૂર્તિ પણ આવેલી છે. આ મૂર્તિ હનુમાનજી જ્યારે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણને ખભે બેસાડીને પર્વત પર લઈ જતા હતા, તેની ઝાંખી દર્શાવે છે.

મંદિરનો ઇતિહાસ

મંદિરના ઇતિહાસ અંગે ત્યાંના પૂજારીએ જણાવ્યું હતું કે, સોળમી સદીમાં લાંભુ નામનો ભરવાડ આ વિસ્તારમાં ગાય ચરાવવા માટે આવતો હતો. તે દરમિયાન તેના ઘણામાંથી એક સુંદર મજાની ગાય રોજ આંકડાના છોડ આગળ ઉભી રહીને પોતાનું દૂધ અર્પણ કરતી હતી. ઘરે ગયા બાદ જ્યારે લાભુ દૂધ દોવા બેસતો, ત્યારે આ ગાયના આંચળમાંથી દૂધ નહોતું મળતું. આથી આશ્ચર્યચકિત થઈને લાભુએ તેની પર નજર રાખવા માંડ્યો, જેથી ગાય આંકડાને દૂધ આપવા માટે ન જઈ શકે. આથી રાત્રિના સમયે ગાય વાડામાંથી છીંડું પાડીને બહાર નીકળી હતી

ગાયનો પીછો કરતા લાભુએ જોયું કે, આંકડાના ઝાડ પાસે પહોંચીને ગાયના ચારે પગ પહોળા કરીને પોતાના દૂધની ધારા આંકડા ઉપર અર્પણ કરી રહી હતી. આ બધું જોઇને લાભુને નવાઈ લાગી અને રાત્રિના તેને એક સ્વપ્નનું આવ્યું હતું. ત્યારબાદ એ સ્વપ્ન પ્રમાણે બીજા દિવસે આંકડા પાસે જઈને ખોદકામ કરતાં તેને જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી. જે મૂર્તિ આજે પણ મંદિરમાં સ્થાપિત છે અને તેના પરથી જ ગામનું નામ લાંભવેલ અને મંદિરનું નામ લાંભવેલ હનુમાનજીનું મંદિર પડ્યું હતું.

મંદિરનું બાંધકામ

મૂર્તિ મળી તે દરમિયાન મંદિરને આણંદ અથવા બાકરોલ લઈ જવા માટે લોકો વચ્ચે હુંસાતુસી થઈ ગઈ હતી. જોકે તે દરમિયાન મૂર્તિને હટાવવા જતા મૂર્તિ હલી નહીં. આથી આખરે કંટાળીને બંને પક્ષે સમાધાન કરીને, જ્યાં મૂર્તિ મળી હતી, તે જગ્યાએ મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો.  ઈસવીસન 1523ને વિક્રમ સવંત 1579ના શ્રાવણ સુદ આઠમના રોજ મંદિર બાંધીને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત કરવામાં આવી હતી. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાની ઈચ્છાપૂર્તિ કરવા માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે અને તેમની અનેક ઈચ્છાઓ પૂર્ણ પણ થાય છે. હાલ માં નવીનતતમ  મંદિર નું બાંધકામ ચાલી રહ્યું છે.આપણે સૌ આ મંદિર ના બાંધકામ માં સહકાર આપીયે...જય બજરંગબલી...







મંદિર દ્વારા અનેક સેવાયજ્ઞ

આ મંદિર ખાતે બનાવવામાં આવેલી કમિટી દ્વારા વિવિધ પ્રકારના સેવાયજ્ઞ પણ ચલાવવામાં આવે છે, જેમાં સાપામી ર્સંઅહ્તો, ગરીબ ભૂખ્યા લોકોને સદાવ્રત આપવામાં આવે .છે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે પણ વ્યક્તિ આવે તેને લોટ અથવા અનાજ આપવામાં આવતું હતું. જોકે હવે તેની જગ્યાએ ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત સ્વાનને એક કિલો રોટલી અથવા ખીચડી અને પક્ષીઓને ચણ પણ નાખવામાં આવે છે. સાથે સાથે હનુમાન ટેમ્પલ કમિટી દ્વારા સંચાલિત દવાખાનામાં ફક્ત પાંચ રૂપિયાની ફી લઈને સારવાર તેમજ લેબોરેટરી ટેસ્ટ જેવી  વિવિધ સેવાયજ્ઞ પણ કરવામાં આવે છે.

નવીનતમ મંદિર જે અત્યારે નિર્માણ પામી રહ્યું છે.




To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Weekly Popular Updates

Gujarati Recipe

Gujarati Recipe
Gujarati food recipe best idea
html script

Popular Posts

Catagerios

Our Followers

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *