કંસના મ્રુત્યુ પછી કંસની બે પત્ની અસ્તિ અને પ્રાયસિ પિયર જઈ પિતા જરાસંઘને પોતાના પતિને ભાણેજ કૃષ્ણએ મારી નાખ્યો એ વાત વિગતવાર કહી. અને જરાસંઘે ક્રોધે ભરાઈને કાલયવન નામના મહાબળવાન યવનને લઈ જરાસંઘ લડવા આવ્યો ત્યારે મથુરાવાસીઓએ ભગવાનને વિનંતી કરી કે લડાઈ જોઈ અમે થાકી ગયા છીએ તો તમારે લડાઈ કરવી જ હોય તો મથુરાની બહાર જાવ. નહિતર અહીં શાંતિથી રહો. ભગવાન પહેલા રાજસ્થાન ગયા.ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે ઘડીના છઠ્ઠા ભાગમાં દ્વારિકા બનાવી.મથુરા આવી દેવકી,વાસુદેવ,યદુવંશીઓને લઈને દ્વારિકા જવાનું નક્કી કર્યું.આ બાજુ જરાસંઘ અક્છૌહિણી સેના લઈ મથુરા યુધ્ધ કરવા આવ્યો.કાલયવન ભયંકર હતો.ભગવાન એકલા હતા.કાલયવનને વરદાન હતું કે યદુવંશીઓ તેને મારી શકશે નહી.આ વરદાન સાચું કરવા માટે ભગવાને કાલયવનને મારવાને બદલે પગમાંથી મોજડી કાઢીને દોડવા માંડ્યું.કાલયવનને એમ કે કૃષ્ણ મારાથી ડરીને ભાગે છે.તે પાછળ દોડ્યો.ભગવાન તેને ગિરનારની ગુફા સુધી લઈ આવ્યા.ગુફામાં એક માણસ સૂતો હતો.કૃષ્ણએ પોતાની કામળી તેના પર ઓઢાડી દીધી.કાલયવને જોયુ કે કૃષ્ણ કામળી ઓઢીને સૂતા છે.અને તેણૈ સૂતા માણસને પાટું માર્યુ.પાટુ મારતાની સાથે જ એ પુરૂષ ઉભો થયો. કાલયવન બળીને ભસ્મ થયો.કૃષ્ણએ આ બધુ નજરે જોયુ.તો પુરૂષને પુછ્યુ કે તુ કોણ છે. તો પુરૂષ કહે કે હું માંધાતાનો દિકરો મુચૂકુંદ છું.મેં દેવતાઓને વિજય અપાવ્યો તેથી દેવોએ મને વરદાન આપ્યુ.મેં સુખપૂર્વકની નિંદ્રા માગી. અને મને જે ઉઠાડે તે બળીને ભસ્મ થાસે. કૃષ્ણ એ કહ્યુ હું દેવકી વાસુદેવનો પુત્ર કૃષ્ણ છું.તે મારૂં કામ કર્યુ છે.મને બચાવ્યો છે.તું વરદાન માગ.ત્યારે મુચુકુંદ કહે કે મારે કંઈ જ જોઈતુ નથી. છતાં પણ કૃષ્ણએ વરદાન આપ્યુ કે આવતે જન્મે આ જ ભૂમિ(જુનાગઢ) ઉપર એક બ્રાહ્મણ તરીકે જન્મ લઈશ. અને ઈશ્વરભક્તિ કરતાં તને મોક્શ મળશે.
અને આ જ રાજા તે બીજા જન્મમાં કોઈ નહી પણ આપણા નરસિંહ મહેતા.
0 comments:
Post a Comment