Weekly Popular Updates
-
सोचिए, आपका फ़ोन बिना तार के चार्ज हो रहा है, या दूर-दराज के इलाकों में भी पलक झपकते ही बिना तार के बिजली पहुंच रही है! यह बात सुनने में भल...
-
18 થી 30 વર્ષની વયના ભારતીય નાગરિકોને યુનાઈટેડ કિંગડમ (UK) માં બે વર્ષ સુધી રહેવા અને કામ કરવાની મંજૂરી આપતા ઈન્ડિયા યંગ પ્રોફેશનલ વિઝા સ્કી...
-
ત્રિરંગો એ આપણા દેશની શાન છે અને ગર્વ સાથે આપણે તેને લહેરાવીએ છીએ. તિરંગો મારી શાન છે, તિરંગો મારું અભિમાન છે....વગેરે વાતો આપણા ગીતો અને સ...
-
આપણા ધર્મમાં તહેવારોનું સવિશેષ સ્થાન છે અને આપણી સંસ્કૃતિ આ તહેવારોને કારણે વધુ જીવંત થઇ ઉઠે છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત...
-
અદ્ભત છે આણંદ ખાતે આવેલું આ સ્વયંભૂ હનુમાન મંદિર આવો જાણીયે આ મંદિર ને મારી કલમે...વિપુલ પ્રજાપતિ ..માહિતી સંકલન સોશિયલ્ મીડીયા... આણંદ શહેર...
-
વાત છે એવા જ એક ધાર્મિક સ્થળની જેનો સીધો જ સંબંધ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સાથે. પોરબંદર થી દ્વારકા જતા માત્ર 42 કિ.મિ. ના અંતરે આવેલુ...
Search This Website
Tuesday, 22 July 2025
ઈન્ડિયા યંગ પ્રોફેશનલ વિઝા સ્કીમ (યુકે યુથ મોબિલિટી વિઝા)નજીવા ખર્ચમાં 2 વર્ષના UK વિઝા આજે શરૂ થશે રજીસ્ટ્રેશન.
રાષ્ટ્રીય તિરંગા દિવસ આજે આપણા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનો જન્મદિવસ છે જાણો રસપ્રદ માહિતી
ત્રિરંગો એ આપણા દેશની શાન છે અને ગર્વ સાથે આપણે તેને લહેરાવીએ છીએ. તિરંગો મારી શાન છે, તિરંગો મારું અભિમાન છે....વગેરે વાતો આપણા ગીતો અને સંવાદોમાં વારંવાર સાંભળવા મળતી હોય છે, પરંતુ દેશની આન, બાન અને શાન સમા તિરંગાનાં સર્જન અને સર્જક વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે. બહુ ઓછાં લોકો જાણે છે કે આજે આપણા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનો જન્મદિવસ છે જેની ડિઝાઇન શ્રી પિંગલી વેંકૈયાએ બનાવી હતી.
આ વિશે આપણે ભાગ્યે જ ભણ્યા હોઈશું પણ આની માહિતી દરેકેદરેક ભારતીયને હોવી જ જોઈએ. તો ચાલો થોડાં વર્ષો પાછળ જઈ ઇતિહાસ પર એક નજર નાખીયે. ૧૯૦૬માં કોલકાતા ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેની અધ્યક્ષતા દાદાભાઈ નવરોજીએ કરી હતી. દાદાભાઈએ પોતાના વક્તવ્યમાં શ્રી વેંકૈયાની સક્રિયતાની નોંધ લીધેલી.
એ વખતે અધિવેશનમાં યુનિયન જેકને લહેરાવવામાં આવ્યો હતો, જેને જોઈને શ્રી વેંકૈયા બહુ વ્યથિત થયાં હતાં. એ દિવસથી જ તેમણે ભારતીય ધ્વજ તૈયાર કરવાનું મનોમન નક્કી કરી લીધું અને ભારતીય ધ્વજની ડિઝાઈન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા. તે એવો ધ્વજ બનાવવા માંગતા હતાં જે આખા રાષ્ટ્રને એકસુત્રમાં બાંધી રાખે. જેમાં તેમનો સહયોગ એસ.બી.બોમાન અને ઉમર સોમાનીએ આપ્યો હતો.
૧૯૧૬માં તેમણે 'અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ માટે ૩૦ નમૂના તૈયાર કરીને રજૂ કર્યા હતા. તેમનાં આ પુસ્તકની નોંધ મહાત્મા ગાંધીએ પોતાના અખબારનાં તંત્રીલેખમાં પણ લીધી હતી. કાકીનાડામાં કોંગ્રેસના સંમેલનમાં શ્રી પિંગલી વેંકૈયાએ ભારતનો પોતાનો ધ્વજ હોવો જોઈએ, એવી રજૂઆત કરી હતી. ગાંધીજીને તેમનો પ્રસ્તાવ પસંદ આવ્યો હતો અને તેમણે દેશનો ધ્વજ તૈયાર કરવાની જવાબદારી એમને જ સોંપી હતી.
પાંચેક વર્ષનાં સઘન અધ્યયન બાદ શ્રી પિંગલી વૈંકેયાએ ભારતીય ધ્વજની ડિઝાઇન પર કામ કર્યું હતું અને ૧૯૨૧માં વિજયવાડા ખાતે યોજાયેલાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંમેલનમાં મધ્યમાં ચરખો હોય એવો ધ્વજ રજૂ કર્યો હતો. લાલ અને લીલા રંગનાં બે પટ્ટામાં ચરખાનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. આ ધ્વજ સૌ કોઈને બહુ પસંદ આવ્યો હતો.
કોંગ્રેસનાં ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા નહોતી મળી છતાં તે કોંગ્રેસનાં કાર્યક્રમોમાં લહેરાવવામાં આવતો હતો. અમુક લોકોએ આ ધ્વજમાં સુધારાવધારા પણ સૂચવ્યા હતાં. આખરે કેસરી, સફેદ અને લીલા રંગનાં તિરંગાની ડિઝાઇન ફાઇનલ થઈ, જેમાં વચ્ચે ચરખાનું ચિત્ર યથાવત્ રાખ્યું હતું. આ તિરંગાને ૧૯૩૧માં કરાચી ખાતે યોજાયેલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનમાં ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા મળી હતી.
આ જ તિરંગામાં ચરખાની જગ્યાએ અશોક ચક્રને સમાવીને ૨૨ જુલાઈ, ૧૯૪૭નાં રોજ બંધારણીય સભામાં પંડિત જવાહરલાલ નહેરૂએ વર્તમાન ત્રિરંગા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ જાહેર કર્યો હતો. તેમાં ત્રણ રંગ હતા. ઉપર કેસરિયો, મધ્યમાં સફેદ અને નીચે લીલો. સફેદ રંગની પટ્ટીમાં ભૂરા રંગનું અશોક ચક્ર જેમાં ૨૪ આરા જોવા મળે છે જે ધર્મ અને કાયદાનું પ્રતિનિધિત્વ કરે છે. અશોક ચક્ર એ સારનાથનાં સિંહાકૃતિવાળા અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે.
ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને પાછળથી રાષ્ટ્રપતિ બનેલ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણએ આપણા રાષ્ટ્રધ્વજમાં રહેલી ભાવના વર્ણવતા કહ્યું હતું કે, ”ભગવો અથવા કેસરી રંગ શૌર્યતાનું પ્રતીક છે તો ત્યાગ અને સમર્પણનું પણ પ્રતિક છે. લીલો રંગ આપણો વૃક્ષ, છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે કે જેની પર તમામનાં જીવન આધારીત છે. સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશીત કરશે.
મધ્યમાં રહેલ અશોક ચક્ર એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતાં એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાશે નહીં, તેને ગતિશીલ બની અને આગળ ધપવું જ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતિનિધિ બનશે. તે દિવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે.
આપણો રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગો’ એ આપણી આન-બાન-શાન, આપણા સ્વાભિમાન અને દેશનાં લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. ત્રિરંગો એ આપણું ગૌરવ છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશનાં અસ્તિત્વ અને અસ્મિતાનાં પ્રતિક સમાન છે. આપણામાં રાષ્ટ્રપ્રેમ, સર્વધર્મસમભાવ, વિવિધ જાતિઓ અને વિવિધ લોકસમૂહને એકસૂત્રમાં બાંધનાર તથા રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી સમર્પિત થવાની પ્રેરણા આપનાર આપણો રાષ્ટ્રીય ધ્વજ છે.
ખાદીનાં એક ટુકડામાંથી બનેલો આપણો ધ્વજ એ ફક્ત કાપડનો ટૂકડો ન રહેતાં આખા દેશનો આત્મા છે અને આપણી આઝાદીનું પ્રતિક છે. તો આવો આપણે સહુ સાથે મળીને આપણા તિરંગાની ગરિમા જાળવીએ અને એનું ગૌરવ અનુભવીએ. એવું કોઈ કામ ન કરીયે જેથી રાષ્ટ્રની અખંડિતતા અને અસ્મિતા પર કોઈ આંચ આવે.
જેની જન્મભૂમિ ગૌરવવંતી મા ભારતી છે એવાં તમામ ભારતીયોને આપણા અસ્મિતાનાં પ્રતીક સમાન તિરંગાનાં જન્મદિવસની ગૌરવપૂર્ણ શુભેચ્છાઓ..!! જય હિન્દ !! 🇮🇳
- વૈભવી જોશી
Monday, 21 July 2025
સોલંકી રાજાઓના સમયે લુણાવાડાની ઉત્તર દિશાની સરહદ એટલે કલેશ્વરી વિશે જાણો
સોલંકી રાજાઓના સમયે લુણાવાડાની ઉત્તર દિશાની સરહદ એટલે કલેશ્વરી. પ્રાચીન કાળમાં વાગડથી ખંભાત સુધીના મહીકાંઠાનો ફળદ્રુપ અને સમૃદ્ધ વિસ્તાર મહિયડ તરીકે ઓળખાતો હતો. નદીના કિનારે દરિયા સુધી જવાનો ધોરીમાર્ગ પણ વિકાસ પામ્યો. તે માર્ગ ઉપર વણઝારા દ્વારા સામાનની હેરફેર દરમિયાન રાતવાસો કરવા માટે, પાણી માટે, પૂજા માટે આવા કેમ્પસનો વિકાસ થતો. આવુજ એક કેમ્પસ એટલે 10મી સદીથી 18મી સુધી વિકસેલું કલેશ્વરી.
એનુ પુરાતન નામ ક્લેશહરી અને બે ડુંગરોની વચ્ચેના સાંકડા રસ્તાને નાળ કહેવાય, અહીં નટરાજ શિવની મૂર્તિને દેવી સ્વરૂપે પૂજાય છે એટલે કલેશ્વરી માતા તરીકે પ્રખ્યાત થયુ. એટલે કલેશ્વરી ની નાળ.
અહીં સાસુ-વહુની વાવ, નૃત્યમંડપ, પ્રાચીન મંદિર, કુંડ, શિકાર મઢી,ભીમનીચોરી, અર્જુનની ચોરી, ત્રણ પ્રવેશદ્વાર વાળુ મંદિર મુખ્ય સચવાયેલા સ્મારકો છે. આ સિવાય ભગ્નાવશેષતો ચારેય તરફ વિખરાયેલા છે. વણઉકેલાયેલા શિલાલેખો,પાળીયા ઘણો બધો ઈતિહાસ પોતાનામાં સંતાડીને બેઠા છે. અહીંના સ્મારકોની સાચવણી અને વિકાસ લુણાવાડાના રાજવીઓ દ્વારા વખતોવખત થતો રહ્યો છે. અત્યારે પુરાતત્વ વિભાગ એની સંભાળ લે છે.
કુંડમાં આજુબાજુના વિસ્તારનુ પાણી અંદર આવતા પહેલા ગળાઇને આવે તે માટે એક સાયફન જેવી વિશિષ્ટ રચના કરેલી છે.
શિવનુ સ્થાનક હોવા છતાં માતા તરીકે પૂજાય છે અને મેળો પાછો જન્માષ્ટમીનો ભરાય છે કદાચ શામળાજીની અસર હોય જે અહીંથી બહુ દુર નથી.
શિકાર માટે આવેલા રાજાઓના મનોરંજન માટે અહીંના ભવ્ય નૃત્યમંડપમાં નૃત્યસભાઓ વાતાવરણને કેટલુ રસિક બનાવી દેતી હશે?
કલેશ્વરી પર હજી ઊંડાણથી સંશોધન થાય તો લુણાવાડાના ઈતિહાસમાં ઘણા પાના ઉમેરી શકાય.
Keyward
Kaleahwary#kaleshwarylunavada#gujarattourisum#gujarat#india#kaleshwarigujarat
Sunday, 20 July 2025
શનિદેવ, શિંગણાપુર, મહારાષ્ટ્ર જ્યા આજે પણ કોઈ દુકાન કે મકાન માં દરવાજા રાખવામાં આવ્યા નથી જાણો
શનિદેવ, શિંગણાપુર, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલું તીર્થસ્થાન છે. જિલ્લાના વહીવટી મુખ્ય મથક અહમદનગરથી ઉત્તર દિશામાં શિંગણાપુર ૩૫ કિલોમીટરના અંતરે આવેલું છે. અહમદનગરથી નેવાસા જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા ઘોડેગાંવથી પશ્ચિમ દિશામાં ૪-૫ કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે.
શનિ ભગવાનની સ્વયંભૂ મૂર્તિ કાળા રંગની છે. ૫ ફુટ ૯ ઇંચ ઊંચી તેમજ ૧ ફુટ ૬ ઇંચ પહોળાઇ ધરાવતી આ મૂર્તિ સંગેમરમરના એક ચબૂતરા પર ખુલ્લા તાપમાં બિરાજમાન છે. એમની બાજુમાં ત્રિશૂળ રાખવામાં આવ્યું છે, દક્ષિણ દિશામાં નંદીની પ્રતિમા આવેલી છે, જ્યારે સામેની બાજુ શિવ તેમ જ હનુમાનની તસવીર રાખેલી છે.
હિંદુ ધર્મમાં કહેવાય છે કે નાગે કરડેલા અને શનિનો મારેલ વ્યક્તિ પાણી સુદ્ધાં માગી શકતો નથી. (કોબરા કા કાટા ઔર શનિ કા મારા પાની નહીં માઁગતા). શુભ દૃષ્ટિ જ્યારે શનિ મહારાજની હોય છે, ત્યારે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે. દેવતા, અસુર, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર તથા નાગ આ બધા શનિની અશુભ દૃષ્ટિ પડવાથી સમૂળગાં નષ્ટ થઇ જાય છે. પરંતુ એટલું જરૂર યાદ રાખવું જોઇએ કે આ ગ્રહ મૂળ આધ્યાત્મિક ગ્રહ છે.
મહર્ષિ પારાશરે કહ્યું છે કે જે વ્યક્તિના જીવનમાં શનિ જે અવસ્થામાં હશે, એના અનુરૂપ ફળ પ્રદાન કરે છે. જેવી રીતે પ્રચંડ અગ્નિ સોનાને તપાવીને કુંદન બનાવી દે છે, એવી જ રીતે શનિ પણ વિભિન્ન પરિસ્થિતિઓના તાપમાં તપાવીને મનુષ્યને ઉન્નતિ પથ પર આગળ વધવાનું સામર્થ્ય તેમ જ લક્ષ્ય પ્રાપ્તિના સાધન ઉપલબ્ધ કરાવે છે.
નવગ્રહોમાં શનિ ગ્રહને સર્વશ્રેષ્ઠ એટલા માટે કહેવામાં આવે છે, કેમ કે શનિ એક રાશિ પર સૌથી વધારે સમય સુધી બિરાજમાન રહે છે. શ્રી શનિ દેવતા અત્યંત જાજ્વલ્યમાન અને જાગૃત દેવતા છે.
આજે શનિ દેવના દરબારમાં પ્રત્યક્ષ દર્શન કરી ધન્યતા અનુભવી.
અહીંની ખાસ વાત એ છે કે સમગ્ર પરિચરમાં હોટેલ, દુકાનો કે શોપ પર કોઈ જ પ્રકારનું તાળું (સટ્ટર) લગાવવામાં આવતું નથી શ્રધ્ધા અને વિશ્વાસની એ ખાસિયત આજે અહીંયા જોવા મળી છે.
#singlapur #shanidevmaharaj #shanidevmandir #singnapur #Shanidev #maharashtra
Saturday, 5 July 2025
अब बिना तार के बिजली वायरलेस बिजली के बारे मे जानिये
सोचिए, आपका फ़ोन बिना तार के चार्ज हो रहा है, या दूर-दराज के इलाकों में भी पलक झपकते ही बिना तार के बिजली पहुंच रही है!
यह बात सुनने में भले ही साइंस फिक्शन लगे, लेकिन अब यह सिर्फ कल्पना नहीं है!
जून 2025 में, अमेरिकी रक्षा अनुसंधान एजेंसी DARPA (Defense Advanced Research Projects Agency) ने न्यू मैक्सिको में एक अविश्वसनीय उपलब्धि हासिल की है।
उन्होंने लेजर तकनीक की मदद से 800 वॉट ऊर्जा को 5.3 मील (8.6 किमी) दूर सफलतापूर्वक भेजा है!
इस 30 सेकंड के प्रयोग में 1 मेगाजूल से अधिक ऊर्जा भेजी गई, जिसने पिछले सभी रिकॉर्ड तोड़ दिए हैं।
यह सफलता साबित करती है कि लंबी दूरी तक वायरलेस बिजली भेजना अब कोई सपना नहीं, बल्कि एक उज्ज्वल वास्तविकता है।
एक शक्तिशाली लेजर और विशेष रिसीवर का उपयोग करके, हवा में उड़ने वाले ड्रोन, बिना ईंधन वाले सैन्य ठिकाने, और यहां तक कि दुर्गम क्षेत्रों में भी बिजली पहुंचाना संभव होगा।
आश्चर्यजनक रूप से, वायरलेस बिजली भेजने का यह सपना लगभग एक सदी से भी पहले महान वैज्ञानिक निकोला टेस्ला ने देखा था।
उन्होंने 'वर्ल्ड सिस्टम' नामक एक विशाल टावर के निर्माण के माध्यम से दुनिया भर में वायरलेस बिजली वितरण की कल्पना की थी, हालांकि विभिन्न सीमाओं के कारण तब यह साकार नहीं हो पाया था।
DARPA की यह सफलता टेस्ला के उस दूरदर्शी सपने को नया जीवन दे रही है!
लेकिन सिर्फ यु'द्ध के मैदान में ही नहीं, यह वायरलेस बिजली तकनीक हमारे दैनिक जीवन में जो क्रांति ला सकती है, वह अकल्पनीय है!
यह तकनीक हमारे दैनिक जीवन को और अधिक सुविधाजनक, कुशल और सुरक्षित बनाएगी।
#power #electricity #mahitiweb#vipulblogger#technonews,#newsindia#newshindi
Friday, 4 July 2025
मलप्पुरम वंडूर शिव मंदिर वंडूर मलप्पुरम जिला केरल
माना जाता है कि यह मंदिर 1000 साल से भी पुराना है!
वंडूर शिव मंदिर भारत के केरल राज्य के मलप्पुरम जिले के एक कस्बे वंडूर (जिसे वंडूर के नाम से भी जाना जाता है) में स्थित एक मंदिर है। माना जाता है कि यह मंदिर 1000 साल से भी ज़्यादा पुराना है, जिसके कारण मंदिर के आस-पास आध्यात्मिक माहौल बना रहता है। मंदिर में एक बड़ा तालाब है। यहाँ के मुख्य देवता को वंडूर शिव कहा जाता है।
पौराणिक महत्व
वंडूर एक अज्ञात राजवंश का एक महत्वपूर्ण शहर हुआ करता था। यह मंदिर अपने चमत्कारों के लिए जाना जाता है। ऐसा कहा जाता है कि महाशिवरात्रि के दौरान, यदि कोई शिव भक्त भगवान की पूजा करता है, तो उसे आध्यात्मिक शक्तियाँ और मोक्ष प्राप्त होता है। इस मंदिर की उत्पत्ति के बारे में कोई सबूत नहीं है। ऐसा कहा जाता है कि मंदिर कई शताब्दियों पहले एक अज्ञात राजवंश द्वारा बनाया गया था। स्थानीय लोककथाओं के अनुसार, एक अज्ञात देवता के राजा ने इस शिव मंदिर का निर्माण किया क्योंकि वह भगवान शिव का बहुत बड़ा भक्त था। मंदिर को राज्य के सबसे पुराने मंदिरों में से एक माना जाता है। मंदिर की वास्तुकला पारंपरिक भारतीय वास्तुकला शैली को दर्शाती है। एक गर्भगृह है जिसमें कई देवी-देवताओं की मूर्तियाँ स्थापित हैं। मंदिर के पवित्र शिखर देश के अन्य सभी प्राचीन शिव मंदिरों से मिलते जुलते हैं।
समारोह
यहां महाशिवरात्रि मनाई जाती है। महाशिवरात्रि के दौरान, भक्त भगवान के पवित्र दर्शन के लिए एकत्रित होते हैं।
शताब्दी/काल/आयु
1000 साल पुराना
द्वारा प्रबंधित
पुरातत्व विभाग
Wednesday, 2 July 2025
હરસિધ્ધિ મંદિર કોયલા ડુંગર જ્યાંથી દ્વારકા માત્ર 64 કી.મી દુર્ છે.જાણો આ મંદીર ના રહશ્ય વિશે...
વાત છે એવા જ એક ધાર્મિક સ્થળની જેનો સીધો જ સંબંધ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સાથે. પોરબંદર થી દ્વારકા જતા માત્ર 42 કિ.મિ. ના અંતરે આવેલુ ગામ ગાંધવી અને મિયાણી જ્યાં કોયલા ડુંગર પર બિરાજે છે કોયલા ડુંગર ની મહારાણી માં ભવાની હરસિધ્ધિ. આ સ્થળ હર્ષદ ના નામ થી પ્રસિધ્ધ છે. જ્યાં થી દ્વારકા માત્ર 64 કિ.મિ. દૂર થાય. જામનગર થી 135 કિ.મિ. કાપી ને આવે છે.
ભાળિયા, ભાટિયા, લાંબા થઇને પણ હર્ષદ પહોંચી શકાય. કોયલા ડુંગર પર 299 પગથિયાં ચડીને આવેલુ છે માં હરસિધ્ધિ નુ અતિ પ્રાચીન મંદિર. એમ કહેવાય છે કે જરાસંધ સામે લડવા અને શંખાસુર નામ ના રાક્ષસ નો વધ કરવા ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં માં અંબા નુ આવાહન કરેલુ અને માતાજી એ શંખાસુર નો વધ કર્યો. ત્યારબાદ ભગવાન માધવરાય શ્રી કૃષ્ણ એ અસૂરો પાસે આ મંદિર બંધાવ્યુ. આ મંદિર ના સ્થંભો ના નિચલા ભાગમાં આજે પણ અસૂરો ના મુખ ચિત્રાયેલા છે. જે એવુ મનાય છે કે માં હરસિધ્ધિ એ આ મંદિર ના સ્થંભ હેઠળ બધા અસૂરો ને દબાવી દીધા છે.
વિક્રમ સંવત શરૂ કરાવનાર સમ્રાટ વિક્રમાદિત્ય ના આરાધ્ય દેવી પણ માં હરસિધ્ધિ હતા. ઉજ્જૈન માં પવિત્ર ક્ષિપ્રા નદી ના કિનારે માં હરસિધ્ધિ નું ભવ્ય મંદિર આવેલુ છે. જ્યાં મંદિર ના પ્રાંગણ માં રહેલા બે સ્થંભ ના દિવડા પ્રગટાવીને માતાજી ની ભવ્ય આરતી કરવામાં આવે છે. જે ભવ્ય આરતી એક કલાક સુધી ચાલે છે. ઉજ્જૈન નું માં હરસિધ્ધિ મંદિર એ એક શક્તિપીઠ પણ છે. હર્ષદ અને ઉજ્જૈન બન્ને જગ્યા એ માતાજી છત્તર કે જુલો હલાવી ને પોતાની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. આ આરતી મા હજારો શ્રધાળુઓ ઉમટી પડે છે. હર્ષદ ના નીચે ના મંદિરમાં આ આરતી કરવામાં આવે છે.
કોયલા ડુંગર ની પણ એક ખાસ વાત એ છે કે આ મંદિર ને શિખર જ નથી. જેની પાછળ પણ એક કથા રહેલી છે. એ અરસા માં જગડુશા શેઠ નામના એક શ્રીમંત વણિક હતા. તેમની ફાટફાટ થતી શ્રીમંતાઇ અને અઢળક રૂપિયા ના કારણે તેમને ખુબ અભિમાન હતુ. એ સમય માં જગડુશા શેઠ ની ઘણી બોટો દરિયા માં ચાલતી. માતાજીએ શેઠ ને અભિમાન માંથી ભાન કરાવવું. એક વખત તેની બધી બોટ ડૂબી ગઇ. એક છેલ્લી બોટ બચેલી તેમાં જગડુશા શેઠ ને કોઇએ કહ્યું જો તમે આ કોયલા ડુંગર વાળી ને ખરા દિલ થી પોકાર કરશો તો માતાજી જરૂર તમારી સહાય કરશે. જગડુશા શેઠે માતાજી ને પોકાર કર્યો અને માતજી એ શિખર તોડી ત્રિશૂલ બતાવી અને જગડુશા શેઠ ને મોતમાંથી ઉગારી લીધા. ત્યારબાદ શેઠ નું અભિમાન ચકનાચુર થઇ ગયું અને જગડુશા માતાજીની શરણે આવ્યા. એક માનતા મુજબ જગડુશા એ કોયલા ડુંગર ના દરેક પગથિયા પર પશુબલિ ચડાવેલી અને ઘર ના ચાર સભ્યો સાથે પોતે પણ પગથિયા પર બલિ આપી દીધી એવી પણ કથા છે. આજે પણ તેમના પાળિયા ત્યાં મંદિર મા સ્થાપિત છે. આટલી માત્રામાં પશુબલિ એ થોડુ અરેરાટી ભર્યું તો છે પણ ભવાની એ તો સૌની માં છે એમ કહેવાય છે કે તેમણે બધા પશુઓ ને પુનર્જિવીત કરી દીધેલા.
માં હરસિધ્ધિ ને સાગરખેડૂઓ બહૂ પૂજે છે તેથી માતાજી માં વહાણવટી ના નામથી પણ પ્રસિધ્ધ છે. હરસિધ્ધિમાં ની માં સિકોતેર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. હર્ષદ માં એક તરફ કોયલા ડુંગર ની આસપાસ નો પર્વતીય પ્રદેશ અને એક તરફ માં વહાણવટી ના ચરણ પખાળતો સમુદ્ર એક નયનરમ્ય દ્રશ્ય ઊભુ કરે છે. તેમજ મંદિરની આરતી નો કર્ણપ્રિય ઘંટારવ મનમાં તાજગી તેમજ તન માં શક્તિ અને સ્ફુર્તિ ભરે છે.
આ મંદિર નહી કોઇ પણ મંદિર ની આરતી જોઇએ તો બધા શ્રધ્ધાળુઓ એક તાલ માં એક લય માં તાળી ઓ વગાડતા હોય છે અને લીન થઇ જતા હોય છે એટલે એમ કહી શકાય કે અલગ-અલગ પ્રદેશ થી આવતા શ્રધ્ધાળુઓ કે જેમની માનસિક્તા ,નાત-જાત, રહેણી-કરણી બધુ અલગ છે પરંતુ તે બધા ને એક લય એલ તાલ અને એલ બિંદુ પર કેંદ્રિત કરતું તત્વ એટલે ઇશ્વર. ત્યાં નાત-જાત, ઊંચ-નીચ, રંગ-વર્ણ નો કોઇ ભેદ નથી હોતો, હોય છે તો માત્ર મનુષ્યો. એથી પણ આગળ વધી ને કહું, તો હોય છે એ બ્રહ્માંડ ભાંડોદરી પરાશક્તિ ના બધા સંતાનો. આ પર થી મને ઋગ્વેદ ની એક ઋચા યાદ આવી ગઇ.
જય માતાજી