Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Showing posts with label હનુમાનજી મંદિર. Show all posts
Showing posts with label હનુમાનજી મંદિર. Show all posts

Saturday, 2 August 2025

દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાનજી ઉંધા ઉભા છે, અત્યંત ચમત્કારીક છે અહીંની પ્રતિમા

 દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાનજી ઉંધા ઉભા છે, અત્યંત ચમત્કારીક છે અહીંની પ્રતિમા

આ મંદિર રામ-રાવણ યુદ્ધ અને અહિરાવણ સાથે જોડાયેલું છે. મંદિરનો ઈતિહાસ ઘણો જૂનો છે. રામાયણ કાળમાં ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું, ત્યારબાદ અહિરાવણે એક ચાલાકી કરી અને પોતાનું રૂપ બદલીને રામની સેનામાં દાખલ થઇ ગયો. ત્યારબાદ રાત્રે જ્યારે બધા સૂતા હતા, ત્યારે અહિરાવણે પોતાની શક્તિથી શ્રી રામ અને લક્ષ્મણજીને બેભાન કરી દીધા અને તેમનું અપહરણ કર્યું. તે તેમને પોતાની સાથે પાતાળલોકમાં લઈ ગયો અને જયારે વાનર સેનાને આ વાતની જાણ થઈ તો ચારેબાજુ ગભરાટ ફેલાઈ ગયો. 


હનુમાનજી ભગવાન રામ અને લક્ષ્મણની શોધમાં પાતાળલોક પહોંચ્યા અને ત્યાં અહિરાવણને મારીને ભગવાન રામ અને લક્ષ્મણને પાછા લાવ્યા. એવું માનવામાં આવે છે કે સાંવેર તે જ સ્થાન હતું જ્યાંથી હનુમાનજી પાતાળલોકમાં ગયા હતા. તે સમયે હનુમાનજીના પગ આકાશ તરફ અને માથું ધરતી તરફ હતું. જેના કારણે તેમના ઉલટા સ્વરૂપની પૂજા મૂર્તિ આજે પણ ત્યાં સ્થાપિત છે અને આ તે જ સ્થાન છે.

આ મંદિર ઈન્દોરથી લગભગ 35 કિલોમીટર દૂર સાંવેરમાં આવેલું છે. જો તમે મંદિરના દર્શન કરવા આવો છો, તો ઈન્દોરથી અહીં પહોંચવામાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. આ મંદિરમાં બજરંગબલી માથું ઊંધુ રાખીને ઉભા છે. એટલે કે તેમની પ્રતિમા ઉલટી છે. આ મધ્યપ્રદેશનું પ્રખ્યાત મંદિર છે.

જય હનુમંત મહારાજ


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Wednesday, 25 September 2024

આણંદ ના લાંભવેલ ખાતે આવેલું આ સ્વયંભૂ હનુમાન મંદિર

અદ્ભત છે આણંદ ખાતે આવેલું આ સ્વયંભૂ હનુમાન મંદિર આવો જાણીયે આ મંદિર ને મારી કલમે...વિપુલ પ્રજાપતિ ..માહિતી સંકલન સોશિયલ્ મીડીયા...

આણંદ શહેરની ઉત્તરે અને લાંભવેલ ગામની દક્ષિણે તેમજ બાકરોલ અને વિદ્યાનગરના પૂર્વમાં આવેલું લાંભવેલ હનુમાનજીનું મંદિર ખૂબ જ જૂનું અને પુરાતન યાત્રાધામ તરીકે ઓળખાતું છે. આ મંદિર લાંભવેલ ગામથી એક કિલોમીટર અને આણંદ શહેરથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સાક્ષાત્કાર  અને સ્વયંભૂ છે.

   આ મંદિરની એક વખત અચૂક મુલાકાત કરવા જેવી છે. આ મંદિરમાં 16મી સદીની સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. હનુમાનજીની આજુબાજુ પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણની મૂર્તિ પણ આવેલી છે. આ મૂર્તિ હનુમાનજી જ્યારે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણને ખભે બેસાડીને પર્વત પર લઈ જતા હતા, તેની ઝાંખી દર્શાવે છે.

મંદિરનો ઇતિહાસ

મંદિરના ઇતિહાસ અંગે ત્યાંના પૂજારીએ જણાવ્યું હતું કે, સોળમી સદીમાં લાંભુ નામનો ભરવાડ આ વિસ્તારમાં ગાય ચરાવવા માટે આવતો હતો. તે દરમિયાન તેના ઘણામાંથી એક સુંદર મજાની ગાય રોજ આંકડાના છોડ આગળ ઉભી રહીને પોતાનું દૂધ અર્પણ કરતી હતી. ઘરે ગયા બાદ જ્યારે લાભુ દૂધ દોવા બેસતો, ત્યારે આ ગાયના આંચળમાંથી દૂધ નહોતું મળતું. આથી આશ્ચર્યચકિત થઈને લાભુએ તેની પર નજર રાખવા માંડ્યો, જેથી ગાય આંકડાને દૂધ આપવા માટે ન જઈ શકે. આથી રાત્રિના સમયે ગાય વાડામાંથી છીંડું પાડીને બહાર નીકળી હતી

ગાયનો પીછો કરતા લાભુએ જોયું કે, આંકડાના ઝાડ પાસે પહોંચીને ગાયના ચારે પગ પહોળા કરીને પોતાના દૂધની ધારા આંકડા ઉપર અર્પણ કરી રહી હતી. આ બધું જોઇને લાભુને નવાઈ લાગી અને રાત્રિના તેને એક સ્વપ્નનું આવ્યું હતું. ત્યારબાદ એ સ્વપ્ન પ્રમાણે બીજા દિવસે આંકડા પાસે જઈને ખોદકામ કરતાં તેને જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી. જે મૂર્તિ આજે પણ મંદિરમાં સ્થાપિત છે અને તેના પરથી જ ગામનું નામ લાંભવેલ અને મંદિરનું નામ લાંભવેલ હનુમાનજીનું મંદિર પડ્યું હતું.

મંદિરનું બાંધકામ

મૂર્તિ મળી તે દરમિયાન મંદિરને આણંદ અથવા બાકરોલ લઈ જવા માટે લોકો વચ્ચે હુંસાતુસી થઈ ગઈ હતી. જોકે તે દરમિયાન મૂર્તિને હટાવવા જતા મૂર્તિ હલી નહીં. આથી આખરે કંટાળીને બંને પક્ષે સમાધાન કરીને, જ્યાં મૂર્તિ મળી હતી, તે જગ્યાએ મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો.  ઈસવીસન 1523ને વિક્રમ સવંત 1579ના શ્રાવણ સુદ આઠમના રોજ મંદિર બાંધીને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત કરવામાં આવી હતી. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાની ઈચ્છાપૂર્તિ કરવા માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે અને તેમની અનેક ઈચ્છાઓ પૂર્ણ પણ થાય છે. હાલ માં નવીનતતમ  મંદિર નું બાંધકામ ચાલી રહ્યું છે.આપણે સૌ આ મંદિર ના બાંધકામ માં સહકાર આપીયે...જય બજરંગબલી...







મંદિર દ્વારા અનેક સેવાયજ્ઞ

આ મંદિર ખાતે બનાવવામાં આવેલી કમિટી દ્વારા વિવિધ પ્રકારના સેવાયજ્ઞ પણ ચલાવવામાં આવે છે, જેમાં સાપામી ર્સંઅહ્તો, ગરીબ ભૂખ્યા લોકોને સદાવ્રત આપવામાં આવે .છે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે પણ વ્યક્તિ આવે તેને લોટ અથવા અનાજ આપવામાં આવતું હતું. જોકે હવે તેની જગ્યાએ ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત સ્વાનને એક કિલો રોટલી અથવા ખીચડી અને પક્ષીઓને ચણ પણ નાખવામાં આવે છે. સાથે સાથે હનુમાન ટેમ્પલ કમિટી દ્વારા સંચાલિત દવાખાનામાં ફક્ત પાંચ રૂપિયાની ફી લઈને સારવાર તેમજ લેબોરેટરી ટેસ્ટ જેવી  વિવિધ સેવાયજ્ઞ પણ કરવામાં આવે છે.

નવીનતમ મંદિર જે અત્યારે નિર્માણ પામી રહ્યું છે.




To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Weekly Popular Updates

Gujarati Recipe

Gujarati Recipe
Gujarati food recipe best idea
html script

Popular Posts

Catagerios

Our Followers

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *