Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Showing posts with label શ્રાવણ માસ ના તહેવારો. Show all posts
Showing posts with label શ્રાવણ માસ ના તહેવારો. Show all posts

Thursday, 14 August 2025

રાંધણ છઠ્ઠ મહાત્મ્ય અને પુજા

 આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ્ઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 14. ઓગસ્ટ ગુરુવારે મનાવવામાં આવશે રાંધણ છઠ્ઠના મહિમાની વાત કરીએ તો મહાભારત કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઇ બલરામજી જેને શેષનાગનો અવતાર માનવામાં આવે છે તેમનો જન્મ થયો હતો, એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણ છઠ્ઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે. 


આ તહેવાર ભારતના અલગ-અલગ રાજ્યમા જુદા-જુદા નામે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આને રાંધણ છઠ્ઠ તો ક્યાંક આ દિવસ ને હલષષ્ઠી, હળછઠ, હરછઠ વ્રત, ચંદન છઠ, તિનછઠી, તિન્નિ છઠ, લલહી છઠ, કમર છઠ, અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. હળછઠ અથવા રાંધણ છઠ્ઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીનાં વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે. 

ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠ્ઠનો તહેવાર મનાવવામાં આવે છે. રાંધણ છઠ્ઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ના કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરવામાં આવે છે.

રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે-ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.

આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

રાંધણ છઠ્ઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધીપૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે.

શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી બલારામજીનો જન્મ થયો હતો. શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણોસર તેમને હલાધર પણ કહેવામાં આવે છે. આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ "હળ" પરથી રાખવામા આવ્યું છે. ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને ‘લાલાય છઠ’ પણ કહેવામાં આવે છે.

આ દિવસે કેવી રીતે કરશો પૂજા : - 

સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઇએ. ત્યાર બાદ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 

આ વાતનું ધ્યાન રાખવું જરૂરી - 

આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. હલછઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઇ પણ અનાજ અથવા ફળ પણ ખાઇ શકાય નહીં. 

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Tuesday, 12 August 2025

શ્રાવણ માસ માં આવતા મહત્વ ના તહેવારો ,બોળ ચોથ,નાગપંચમી,રાંધણ છઠ,શીતળા સાતમ,જન્માષ્ટમી વિશે જાણો

આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે તો ખૂબ વિચારપૂર્વક કર્યો છે. ચોમાસાની સીઝન હોઈ ઉપવાસ અને એકટાણા રાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. કેટલાક લોકો તો આખો શ્રાવણ માસ એક ટંક જમે છે. 

ભગવાનનાં મંદિરોમાં ભીડ જોવા મળે છે તો કોઈ તીર્થયાત્રાએ નીકળી પડે છે. ગામમાં કે મોટા શહેરોમાં કથાકારો ભગવાનની કથાઓ કરે છે એક જુદા જ પ્રકારનું ધાર્મિક વાતારણ ઊભું થાય છે. વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. આજથી શરૂ થતાં એમાનાં થોડાંક મહત્વનાં તહેવારો વિશે આજે અછડતું જણાવવાનો પ્રયત્ન કરું પણ જે તે દિવસે વિગતવાર જાણીશું.

બોળચોથ : 

આજે શ્રાવણ વદ ચોથનાં દિવસે આ વ્રત કરવામાં આવે છે. સૂર્યોદયની તિથિ માન્ય ગણાતી હોવાથી અમારાં સિડનીનાં સમય અનુસાર આવતી કાલે ઉજવવી વધુ યોગ્ય ગણાય. બોળચોથનાં દિવસે ગાયમાતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે. ગાય બારેય મહિના દૂધ આપે છે, તેનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોળચોથ. 

ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે કેમ કે ગાયનાં શરીરમાં તેત્રીસ કોટી દેવી-દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે. અહીંયા કોટી એટલે પ્રકાર કરોડ નહિ. લોકોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓની ખોટી માન્યતા પ્રચલિત છે. આ ૩૩ કોટી એટલે આઠ વસુ, અગિયાર રૂદ્ર, બાર આદિત્ય, ઈન્દ્ર અને પ્રજાપતિનો સમાવેશ થાય છે પણ એના વિશે ઊંડાણથી ફરી ક્યારેક જણાવીશ. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે. ગાય-વાછરડાનું પૂજન કરીને બાજરીનાં રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.

આમ પણ દરેક વ્રત કે તહેવાર પાછળ માત્ર ધાર્મિક મહત્વ જ નથી જોડાયેલું પણ સાથે સાથે વૈજ્ઞાનિક તથ્ય પણ રહેલું હોય છે. આજકાલની ભાગ દોડ ભરી જિંદગીમાં ક્યાં સમય હોય છે કોઈની પ્રત્યે ઋણ અદા કરવાનું આ બહાને આપણે ગાય માતાનું પૂજન કરીએ છીએ અને તેમની તરફનું આપણુ ઋણ અદા કરીએ છીએ.

નાગપંચમીઃ 

શ્રાવણ વદની પાંચમ નાગપંચમી તરીકે ઉજવાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે 'કુલેર'નો લાડુ બનાવી, નાગદેવતાનું (ફોરામાં અથવા દિવાલ ઉપર) પૂજન કરી આ વ્રત ઉજવાય છે. નાગદેવતા ભગવાન શંકરનાં ગળાનો હાર છે તેથી ભક્તો આ તહેવાર ભગવાન શિવજીને યાદ કરી પૂજન કરે છે. આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાનાં આધાર પર સાંપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે. નાગપંચમી વિશે ઊંડાણમાં જાણવું હોય તો આવતીકાલના સવિસ્તર લેખમાં વધુ જાણવા મળશે.

સાપ એ આપણા ઈકોસિસ્ટમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, આપણી પૃથ્વી સાપના માથા પર ફરે છે, તેથી સર્પોની પૂજા કરવામાં આવે છે, કારણ કે તેઓ કુદરતી સંતુલન જાળવી રાખે છે. નાગપંચમીનો તહેવાર ચોમાસા દરમિયાન આવે છે, જ્યારે એ ખેતીની મોસમ હોય છે. ખેડૂતો સાપની પૂજા કરે છે, જેથી તેઓ પાકનું રક્ષણ કરી શકે કેમ કે શ્રાવણ માસમાં આ સમયે વરસાદને કારણે ખેતીમાં હાનિકારક જીવજંતુઓ ઉત્પન્ન થાય છે, જેનું નિયંત્રણ સાપ દ્વારા કરવામાં આવે છે, તેથી નાગપૂજાનો આ સમય કૃષિની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. 

રાંધણ છઠઃ 

શ્રાવણ વદ છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. રાંધણ છઠનાં દિવસે લોકો ઘરે-ઘરે નવાં-નવાં પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરનાં ચૂલ્હાની સાફસફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. 

રાંધણ છઠની રાતે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે-ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાનાં આશીર્વાદ આપી બીજાનાં ઘરે જાય છે, માટે રાંધણછઠનાં દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. 


આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નીરોગી બની રહે છે. આના વિશે વધુ એ દિવસના વિગતવાર લેખમાં વૈજ્ઞાનિક તથ્યો સાથે ઊંડાણથી જાણીશું.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણનાં મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. એટલે આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણનાં મોટા ભાઈ શ્રી બલરામની જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. શ્રી બલરામનું મુખ્ય શસ્ત્ર હળ છે. આ કારણોસર તેમને હળધર પણ કહેવામાં આવે છે અને આ દિવસને  હળષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. જોકે અમુક માન્યતાઓ અનુસાર ભાદરવા મહિનાના વદ પક્ષની છઠ તિથિએ બલરામ જયંતિ ઉજવવામાં આવે છે.

શીતળા સાતમઃ 

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. ચૂલો, સગડી કે ગેસનાં ચૂલા એ તો ઘરનાં દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવનાં ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાનાં સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. 

માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતાં નથી, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે. આડકતરી રીતે જોઈએ તો સૂપડું એ સ્વચ્છતાં અને શુદ્ધિનું પ્રતિક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતાં અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતાં અને સુઘડતાં રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમનાં ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે.

જન્માષ્ટમીઃ 

શ્રાવણ વદ આઠમની તિથિ એ ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ હોઈ કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કૃષ્ણ પક્ષની અષ્ટમીનાં રોજ રોહિણી નક્ષત્રમાં થયો હતો. કેટલાક લોકો માટે અષ્ટમી તિથિ વધુ મહત્વ ધરાવે છે તો કેટલાક લોકો રોહિણી નક્ષત્ર થવા પર જ જન્માષ્ટમી પર્વ ઉજવે છે. 


અષ્ટમી બે પ્રકારની છે. પહેલી અષ્ટમી અને બીજી જયંતિ. આમાંથી ફક્ત પહેલી અષ્ટમી છે. ભવિષ્યપુરાણનું વચન છે કે શ્રાવણ મહિનાની વદમાં જો તે જ તિથિ રોહિણી નક્ષત્રથી સંબંધિત હોય તો જયંતિનાં નામથી ઓળખવામાં આવે છે. વહ્નિપુરાણનું વચન છે કે કૃષ્ણપક્ષની જન્માષ્ટમીમાં જો એક કળા પણ રોહિણી નક્ષત્ર હોય તો તેને જયંતિ નામથી જ સંબોધિત કરાશે.

આપ સહુને આજથી શરૂ થતાં શ્રાવણ માસનાં બધા જ તહેવારોની અઢળક શુભેચ્છાઓ..!!


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Monday, 28 July 2025

રાંધણ છઠ – ગુજરાતી પરંપરાનો પવિત્ર તહેવાર જાણો વધુ માહિતી

 રાંધણ છઠ – ગુજરાતી પરંપરાનો પવિત્ર તહેવાર

ભારતીય તહેવારોમાં દરેક ક્ષેત્રની પોતાની ખાસ ઓળખ છે. ગુજરાતી લોકો માટે તહેવાર માત્ર ધાર્મિક પ્રસંગ નહીં પણ કુટુંબ, ભોજન, પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાનું ઉત્તમ સાધન છે. આવા અનેક તહેવારોમાંથી એક અનોખો તહેવાર છે – રાંધણ છઠ. આ તહેવાર ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે અને શ્રાવણ મહિનાના અંતે, શ્રાવણ વદ છઠ્ઠના દિવસે ઉજવવામાં આવે છે.

રાંધણ છઠનો અર્થ

''રાંધણ'' એટલે રસોઈ અને ‘છાંઠ’ એટલે છઠ્ઠમુ દિન. એટલે કે એ દિવસ જ્યારે ઘરની સ્ત્રીઓ આગામી શીતળા સાતમ માટેનો ભોજન તૈયાર કરે છે. એ દિવસે કોઇ તાજું ભોજન બનાવાતું નથી, માત્ર અગાઉના દિવસે તૈયાર કરેલું જ ભોજન ખવાય છે. તેથી રાંધણ છઠ એ રાંધવાની તૈયારીઓનો દિવસ છે.

 રાંધણ છઠ શીતળા સાતમનો સંબંધ

શીતળા સાતમ એ શીતળા માતાની પૂજાનો દિવસ છે. માન્યતા મુજબ શીતળા માતા તાજું ભોજન ન ગમે અને તેને શાંત, ઠંડું અને પૂર્વે બનાવેલું ભોજન અર્પણ કરવું જોઈએ. આ દિવસે ઘરમાં ચુલ્હો ન બળે અને રસોડું બંધ રહે. તેથી એ પૂર્વ દિવસે રાંધણ છઠ ઉજવાય છે અને બધું ભોજન તૈયાર થાય છે.


 રાંધણ છઠ ધાર્મિક અને સંસ્કૃતિક મહત્વ

શુચિ અને પવિત્રતા: 


રાંધણ છઠના દિવસે મહિલાઓ સ્નાન કર્યા પછી શુદ્ધતા પાળીને ભોજન બનાવે છે. રસોઈ કરતી વખતે ધાર્મિક ભજન અથવા મંત્રો બોલવામાં આવે છે.


કટુંબ માટે પ્રાર્થના: 

આ તહેવાર માતાઓ તેમના બાળકોના આરોગ્ય અને પરિવારના સુખ માટે ભોજન તૈયાર કરીને શીતળા માતાને અર્પણ કરે છે.

સાંસ્કૃતિક વારસો: 

આ તહેવાર જુની પેઢીથી નવી પેઢી સુધી પરિવારોમાં પારંપરિક રીતે પસાર થાય છે, જેનાથી ગુજરાતી સંસ્કૃતિ જીવંત રહે છે.

પ્રકૃતિ સાથે જોડાણ: 

શીતળા સાતમ વર્ષામાં આવે છે, જ્યારે હવાની સર્દી અને ભોજનની ઠંડકનું નાતું પણ ધ્યાનમાં લેવાયું છે.

રાંધણ છઠ ધાર્મિક મહત્વ અને માન્યતા 

રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે-ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.

આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

રાંધણ છઠ્ઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધીપૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે.

શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી બલારામજીનો જન્મ થયો હતો. શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણોસર તેમને હલાધર પણ કહેવામાં આવે છે. આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ "હળ" પરથી રાખવામા આવ્યું છે. ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને ‘લાલાય છઠ’ પણ કહેવામાં આવે છે.

રાંધણ છઠના દિવસે બનાવાતું ભોજન

આ દિવસે ખાસ કરીને શાકાહારી અને ઢીંગલીયું ભોજન બનાવવામાં આવે છે. કેટલાક લોકપ્રિય વાનગીઓ નીચે મુજબ છે:


ફૂલ રેસીપી કેવી રીતે બનાવવી તે માટે નામ પર ક્લિક કરો .

ઢેબરા 

પૂરી ,તીખી,મીઠી ,સાદી 

જુદા જુદા પ્રકાર ના ભજીયા 

લોટના લાડુ

ઢોકળા / ખમણ

થાંધળ

મેંગો પલ્પ (કે જારનું રસ)

પાપડ, અથાણાં, મીઠો કોકમ

મીઠી શીરો 

સુખડી

ઘૂઘરા 

શ્રીખંડ 

હાંડવો 

આ બધું ભોજન આગામી દિવસે ઉપયોગમાં લેવાય છે અને ખાસ કરીને શીતળા માતાની મૂર્તિને અર્પણ કરીને પછી પરિવાર સાથે પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.


આજના સમયમાં રાંધણ છઠનું સ્થાન

આજના ટેકનોલોજી અને ઝડપી જીવનશૈલીમાં આપણાં ઘરોમાં ઘણા તહેવારો ધીરે ધીરે ભૂલાઈ રહ્યાં છે. પરંતુ રાંધણ છઠ એવો તહેવાર છે જે આજે પણ અનેક ઘરોમાં શ્રદ્ધાથી ઉજવાય છે. કેટલાક પરિવારો હવે ભોજન ઓર્ડર કરતાં હોવા છતાં, રાંધણ છઠના દિવસે પોતાનું બનાવેલું ભોજન જ શીતળા માતાને અર્પણ કરે છે.

આ તહેવાર સ્ત્રીઓ માટે સામૂહિક મિલનનો દિવસ પણ હોય છે. ક્યારેક કાઠિયાવાડી અને સુરતી વિસ્તારોમાં મહિલાઓ ભેગી મળી એકસાથે રસોઈ બનાવે છે અને પછી વાતો સાથે ભોજનનો આનંદ માણે છે. આ રીતે સંબંધોમાં નજીકપણું અને સમાજમાં સૌહાર્દ વધે છે.

સમાજશિક્ષણ અને સંસ્કાર

રાંધણ છઠ બાળકો અને યુવાનો માટે સંસ્કાર શીખવાનો દિવસ પણ બની શકે છે. નાના બાળકોએ જોવું કે તેમની માતા કે દાદી કેવી રીતે ધાર્મિક પવિત્રતાથી ભોજન બનાવે છે, શું શું વિધિ છે, તો તેઓ પણ આવતી પેઢી માટે એ સંસ્કૃતિને આગળ વધારશે.

આ તહેવાર શીખવે છે કે ભોજન બનાવવો એ માત્ર કાર્ય નથી, પણ એક આધ્યાત્મિક સાધના પણ બની શકે છે.

નિષ્કર્ષ

રાંધણ છઠ એ માત્ર એક રસોઈનો દિવસ નથી. એ એજ દિવસ છે જ્યારે એક મહિલા ભગવાન માટે, પરિવાર માટે અને સંસ્કૃતિ માટે કંઈક વિશેષ કરે છે. એ માતાનું પ્રેમ, શ્રદ્ધા અને ઉત્સાહ ભોજનમાં ભરાઈ જાય છે. એવું કહેવાય છે કે પ્રેમથી બનાવેલું ભોજન એજ સાચું પ્રસાદ હોય છે.

આજના સમયમાં જ્યારે દરેક બાબતને ઝડપથી પુરા કરવા પર ધ્યાન રહે છે, ત્યારે આવા તહેવારો આપણને થોભીને વિચારવાનું કહે છે – સંબંધો, સંસ્કૃતિ અને સંવેદના શું છે.

ચાલો, આ રાંધણ છઠે આપણે પણ માત્ર ભોજન નહીં બનાવીએ, પણ માતાજી માટે શ્રદ્ધાથી, પરિવાર માટે પ્રેમથી અને સંસ્કૃતિ માટે ગૌરવભેર રાંધીએ.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Weekly Popular Updates

Gujarati Recipe

Gujarati Recipe
Gujarati food recipe best idea
html script

Popular Posts

Catagerios

Our Followers

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *