હવે શ્રાવણ માસ શરૂ થયો છે.આથી ભગવાન શિવને માનનાર લાખો ભક્તો પ્રભુ સોમનાથના દર્શને જશે
સોમનાથની મુલાકાત લ્યો ત્યારે એના પટાંગણમાં ઊભેલી હમીરજી ગોહિલની પ્રતિમાને શિશ નમાવવાનું ભુલતા નહિ.એ પ્રતિમાને નજર અંદાજ કરતા નહિ.તમે ત્યાં આનંદ કરજો....સમંદરને ખોળે મહાલજો....ફોટોશુટ કરાવજો....બધું કરજો પણ પહેલાં બે ઘડી હમીરજીની મુર્તિ સામે ઊભા રહી,એને વંદન કરી અને બે ઘડી તમારી આંખ ભીની કરજો.જો આટલું કરશો ને તો અંદર બિરાજેલ મહાદેવ પણ રાજી થશે.
સોમનાથ મંદીર વિશે જાણવા માટે ક્લિક કરો
યાદ રાખજો....અરઠીલા લાઠીના આ રાજપૂત કોઇ કોમ માટે, કોઇ જાત માટે નો'તા લડ્યા....એ લડ્યા હતા આપણાં માટે ! આપણા ધર્મ માટે....આપણી જન્મભોમકા માટે.પાપી, નિર્દયી ઝફરખાન જ્યારે સોમનાથને નષ્ટ કરવા આવેલ ત્યારે આ નરવીર વેગડા ભીલનો સાથ લઇને તમામ કોમના લોકોને લઇને સૌમેયાદાદાને બચાવવા,હિંદુ ધર્મને રક્ષવા લડ્યો હતો અને શહિદ થયો હતો.
વિચાર કરો મિત્રો ! ધર્મ અને ધરાને રક્ષવા આ સિંહ કુરબાન થયા એ કોના માટે ? આપણાં માટે જ ને ! કૃપા કરી તમે અત્યારના નાત જાતના ભેદ કમસેકમ સોમનાથમાં જતી વેળાં ભુલી જજો અને જઇને હમીરજીની પ્રતિમા આગળ બે ઘડી શીશ નમાવીને આંખોમાં અશ્રુ સાથે એટલું તો જરૂર કહેજો કે - " ધન્ય છે તને હમીર ! તમારા જેવા શહિદોની કુરબાનીને લીધે જ આજે સોમનાથ અડીખમ ઊભું છે. કોઇ કાફરનો એને હવે ડર નથી, તમારા પ્રતાપે ! "
ધન્ય છે હમીરજી ગોહિલ ને અને વેગડાજી ભીલને ! બસ, ઉપરની એક વિનંતી જરૂરથી સ્વીકારજો અને હાં....જો તમને યોગ્ય લાગે તો એ ખાંભી પાસે એકાદ અગરબત્તી જરૂર પ્રગટાવજો.એ વીરનો આત્મા જરૂરથી રાજી થશે કે હજી મને કોઇ ભુલ્યાં નથી. ફરી એકવાર વિનંતી કે જો સોમનાથની મુલાકાત લો તો આટલું જરૂર કરજો. એ શહિદ માટે આટલું કરવું એ તો આપણી ફરજીયાત ફરજ કહેવાય,આટલું તો કરી શકીએ ને !
આ પોસ્ટ વધુમાં વધુ શેર કરજો. દેશના એક સપૂતને વધુ લોકો સુધી પહોંચાડજો. જેથી વધુમાં વધુ લોકો હમીરજીની ખાંભી સામે શીશ નમાવે અને આ રીતે હમીરજીને આપણે થોડી શ્રધ્ધાંજલી જરૂરથી આપી શકીશું.
👉 || જય સોમનાથ ||
0 comments:
Post a Comment