Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Friday, 13 March 2026

દેવી કાલી (મહાકાલી)નું પ્રાગટ્ય

માતા મહાકાળીની ખૂબ જ પ્રખ્યાત પૌરાણિક કથામાં, દુર્ગા અને તેની સહાયક માતૃકાઓ રક્તબીજ રાક્ષસને નષ્ટ કરવાના પ્રયત્નમાં વિવિધ શસ્ત્રો વડે, વિભિન્ન રીતે તેને ઘાયલ કરીને રક્ત વહાવે છે. એમ કરવા જતાં તેમને તુરત જ ખબર પડે છે કે તેમણે પરિસ્થિતિને બગાડી નાખી છે, કારણ કે રક્તબીજના શરીરમાંથી જે રક્ત વહે છે તેના દરેક ટીપે તે પોતાનામાંથી પોતાના જેવો જ બીજો રાક્ષસ પેદા કરે છે. આ રીતે યુદ્ધક્ષેત્ર રક્તબીજ જેવા વધતા જતા અનેક પ્રતિરૂપ રાક્ષસોથી ઊભરાઈ જાય છે. દુર્ગા, મદદની ભયાનક જરૂરિયાતમાં રાક્ષસો સાથે લડવા માટે કાલિને બોલાવે છે. એમ પણ કહેવાય છે કે આ વખતે દુર્ગા પોતે દેવી કાલિનું સ્વરૂપ ધારણ કરે છે.

                                               


દેવી માહાત્મ્ય માં વિવરણ છેઃ

તેણી(દુર્ગા)ના કપાળની બાહ્ય સપાટી પરથી ભૃકુટી વાંકી કરવા સાથે અત્યંત તીવ્ર ક્રોધ સહિત અચાનક કાલિ સ્વરૂપ પ્રગટ થાય છે, જેનું મુખમંડલ ભયંકર હોય છે અને હાથમાં તલવાર તથા જાળનો ફંદો હોય છે. વિચિત્ર ખટ્વાંગ (ખોપરીઓ), મુંડમાળના હારથી સુસજ્જ એ સ્વરૂપ વ્યાઘ્રચર્મથી ઢંકાયેલું, ખૂબ જ ભયભીત કરનારું સ્વરૂપ, ક્ષીણ માંસ, ખુલ્લું મુખ, બહાર નીકળેલી તેમની વિકરાળ જીભ, ઊંડી લાલ આંખો, આકાશ પ્રદેશને ભરી દેનારી ગર્જનાઓ, ધડાધડ ઉતાવળું આક્રમણ અને અસુરોના સૈન્યની ભયાનક કતલ સાથે તેમણે દેવોના દુશ્મનોનો સંહાર કરી નાખ્યો. 

કાલિએ રક્તબીજના શરીરમાંથી લોહી ચૂસીને તેનો નાશ કર્યો અને બીજા અનેક પ્રતિરૂપ રક્તબીજોને પોતાના વિરાટ મોઢામાં ભરી દીધા. પોતાના વિજયથી પ્રસન્ન થઈને કાલિ પછી યુદ્ધ ભૂમિ પર નૃત્ય કરે છે, જેમાં યુદ્ધમાં હણાયેલા રાક્ષસોના શબો ઉપર પગ મૂકીને તે નાચે છે. તેમના ગુલતાન નૃત્યમાં મહાદેવ પણ મરેલા રાક્ષસો વચ્ચો કાલિના પગ નીચે આવી જાય છે.

મહાકાળીના પણ અલગ અલગ પ્રકાર છે – દક્ષિણાકાળી એટલે કે સ્મશાન કાળી અને માતૃવત્ કાળી એટલે કે ભદ્રકાળી

દક્ષિણાકાલિ (સ્મશાનકાળી)

દેવીનાં મોટા ભાગનાં સ્વરૂપો અને ચિત્રો દક્ષિણાકાલિ તરીકેના જોવા મળે છે, એમ કહેવાય છે કે યુદ્ધભૂમિ પર રાક્ષસોનું રક્ત પીધા પછી તે અતિ આવેશમાં સંહારક નૃત્ય કરે છે. પોતાની તીવ્ર ઉત્તેજનામાં તે યુદ્ધભૂમિ પર પડેલા અસુરોનાં શબો વચ્ચે પોતાના પતિનું શરીર જોવામાં પણ નિષ્ફળ જાય છે. છેવટે શિવની ચીસ સાંભળીને તેનું ધ્યાન જાય છે, તેનો ક્રોધ શાંત થાય છે. આ રીતે પોતાના પતિનું અપમાન કરવાની શરમની નિશાનીરૂપે કાલિની જીભ બહાર જ અટકી જાય છે. જો કે કેટલાક સ્રોતો એમ પણ કહે છે કે તાંત્રિક સંદર્ભમાં, જીભના પ્રતીકવાદની પછીની આવૃત્તિના અર્થઘટનમાં જીભ એ રજસ (ઊર્જા અને ક્રિયા)ના ગુણ ને ઘોષિત કરતી જોવા મળે છે, જે સત્ત્વ, આધ્યાત્મિક અને ઈશ્વરીય જીવો દ્વારા નિયંત્રિત છે, જે હત્યા કરનારા તરીકે કામ આપે છે.

માતૃવત્ કાલિ (ભદ્રકાળી)

ભદ્ર કાલિ (કાલિનું સૌમ્ય રૂપ) એ દેવા કાળિકાનું સૌમ્ય સ્વરૂપ છે જેના ચિત્રાંકનમાં તેમનો ચહેરો શાંત હોય છે અને જીભ બહાર લટકતી હોવાના બદલે મોની અંદર જ હોય છે.અમદાવાદમાં લાલ દરવાજા ખાતે માતા ભદ્રકાળી સ્વયંભૂ બિરાજે છે અને નગરદેવીના પદ પર આરૂઢ થઈને શહેરની રક્ષા કરે છે.

બીજી એક પુરાણ કથા વર્ણન કરે છે કે બાળ શિવ કાલિને શાંત કરે છે. લગભગ એવી જ કથામાં, કાલિ ફરીથી યુદ્ધભૂમિમાં દુશ્મનોને હરાવે છે અને અનિયંત્રિત રીતે નૃત્ય શરૂ કરે છે, મારેલા દુશ્મનોનું રક્ત પીએ છે. તેને શાંત કરવા અને વિશ્વની સ્થિરતાની સુરક્ષા માટે શિવને બાળ સ્વરૂપે યુદ્ધભૂમિ પર મોકલવામાં આવે છે, જે મોટેથી રડે છે. બાળકને હતાશ થયેલો જોઈને, કાલિ નિરાધાર બાળકની સંભાળ લેવા માટે પોતાનું નૃત્ય રોકી દે છે. કાલિ બાળ શિવને ઊંચકી લે છે, તેના કપાળે ચુંબન કરે છે અને તેને સ્તનપાન કરાવવા આગળ વધે છે.

સ્વરૂપ

કાલિને મોટા ભાગે બે સ્વરૂપમાં ચિત્રિત કરવામાં આવે છેઃ લોકપ્રિય ચાર-હાથવાળું અને દસ-હાથવાળું મહાકાલિનું સ્વરૂપ. દેવીનું વર્ણન કાળા રંગમાં કરવામાં આવે છે, પરંતુ પ્રખ્યાત ભારતીય કલામાં તેને ઘણીવાર ભૂરા રંગમાં પણ ચિત્રિત કરવામાં આવે છે. તેની આંખોનું વર્ણન લાલ રંગનું અને તે પણ ઉન્માદ તથા ઉત્તેજનાપૂર્ણ તથા સંપૂર્ણપણે ક્રોધ તથા રોષપૂર્ણ કરવામાં આવે છે. તેના વાળ અસ્ત-વ્યસ્ત બતાવવામાં આવે છે, સર્પના જેવા નાનકડા દાંત ક્યારેક મોઢાથી બહાર નીકળેલા અને તેની જીભ બહાર લટકતી દેખાય છે. ઘણીવાર તેને નગ્ન અથવા મનુષ્યના બાહુઓનું બનેલું સ્કર્ટ તથા મનુષ્યના મસ્તકની માળા પહેરેલી દેખાડવામાં આવે છે. તેની સાથે સર્પો અને શિયાળ પણ હોય છે જ્યારે તે આભાસરૂપ મૃત શિવની ઉપર ઊભી હોય છે, સામાન્ય રીતે જમણો પગ આગળ હોય છે, વધુ પ્રખ્યાત દક્ષિણમાર્ગના માર્ગ અથવા જમણેરી પથના પ્રતીકરૂપે, કારણ કે એ વિરોધ દર્શાવે છે વધુ કુખ્યાત અતિચારી વામમાર્ગ અથવા ડાબેરી પથનો. મહાકાલિના દસ-હાથવાળા સ્વરૂપમાં તેને ચિત્રિત કરી છે ચમકતા ભૂરા પથ્થર તરીકે. તેને દસ ચહેરા અને દસ પગ તથા ત્રણ આંખો છે. તેના બધા હાથ-પગ પર અલંકારો સજાવેલા છે. તેમાં શિવ સાથે કંઈ જ સમ્બધ્ધ નથી. કાલિકા પુરાણ શાંત, સંતુષ્ટ ઘેરા રંગમાં, પૂર્ણ રૂપે સુંદર, વાઘની સવારી, ચાર હાથ, હાથમાં તલવાર અને ભૂરા રંગનાં કમળ, તેના વાળ વિખરાયેલા, શરીર સુદૃઢ અને યુવા સ્વરૂપમાં કાલિનું વર્ણન કરે છે.

0 comments:

Post a Comment

Weekly Popular Updates

Catagerios

Our Followers